Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ‘વજુભાઈ કદી નિવૃત્ત હોઈ જ ન શકે, તેમણે જીવનભર કામ કર્યું છે’

‘વજુભાઈ કદી નિવૃત્ત હોઈ જ ન શકે, તેમણે જીવનભર કામ કર્યું છે’

03 August, 2021 09:31 AM IST | Mumbai
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

વિજય રૂપાણીએ પોતાના જન્મદિને વજુભાઈ વાળાના આશીર્વાદ લીધાઃ વજુભાઈએ કહ્યું, વિજયભાઈ પરફેક્ટ કાર્ય કરી રહ્યા છે

વજુભાઈ વાળાના ઘરે વિજય રૂપાણી

વજુભાઈ વાળાના ઘરે વિજય રૂપાણી


ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગઈ કાલે તેમના જન્મદિને રાજકોટમાં પક્ષના વડીલ વજુભાઈ વાળાના ઘરે જઈને આશીર્વાદ લીધા હતા અને કહ્યું હતું કે ‘વજુભાઈ કદી નિવૃત્ત હોઈ જ ન શકે, જીવનભર કામ કર્યું છે.’

ગુજરાતમાં વિજય રૂપાણી અને નીતિન પટેલની સરકારે ગઈ કાલે પાંચ વર્ષ પૂરાં કર્યાં એની ઉજવણીના એક કાર્યક્રમમાં રાજકોટ આવેલા રૂપાણીએ પોતાના જન્મદિન નિમિત્તે વજુભાઈ વાળાને મળીને તેમના આશીર્વાદ લીધા હતા. રૂપાણીએ આ તબક્કે વજુભાઈ માટે કહ્યું હતું કે ‘આર.એસ.એસ.ના સ્વયં સેવકથી શરૂ કરીને જનસંઘથી માંડીને ભારતીય જનતા પાર્ટીમાં રહીને જીવનભર કામ કર્યું છે એટલે વજુભાઈ કદી નિવૃત્ત હોઈ જ ન શકે..’



વજુભાઈ વાળાએ કહ્યું હતું કે ‘વિજયભાઈ પાસે સંગઠનનો અનુભવ છે. વિજયભાઈ પરફેક્ટ કામ કરી રહ્યા છે. વિજયભાઈ મને પોતાનો જૂનો કાર્યકર્તા માની અને આજે આશીર્વાદ લેવા આવ્યા હતા.’


Whatsapp-channel Whatsapp-channel

03 August, 2021 09:31 AM IST | Mumbai | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK