Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ભારતમાંથી 10 કરોડથી વધુ રૂપિયા દાનમાં મળ્યા : મોરારિબાપુ

ભારતમાંથી 10 કરોડથી વધુ રૂપિયા દાનમાં મળ્યા : મોરારિબાપુ

02 August, 2020 11:32 AM IST | Bhavnagar
Agencies

ભારતમાંથી 10 કરોડથી વધુ રૂપિયા દાનમાં મળ્યા : મોરારિબાપુ

મોરારિબાપુ

મોરારિબાપુ


રામજન્મભૂમિ અયોધ્યામાં ૫ ઑગસ્ટના રોજ રામમંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. તલગાજરડામાં ચાલી રહેલી ઑનલાઈન કથામાં મોરારિબાપુએ મંદિરના નિર્માણમાં ૫ કરોડ રૂપિયા મોકલીશું તેવી જાહેરાત કરી હતી, જે બાદ આજે ૧૬ કરોડની રકમ એકઠી થઈ ગઈ છે. મોરારિબાપુએ જણાવ્યું હતું કે સૌથી પહેલાં ૫ કરોડ રૂપિયા અહીંથી મોકલીશું અને ઠાકોરજી આપણા બધાના મનોરથ પૂર્ણ કરે. આ તુલસીપત્રના રૂપમાં રૂપિયા મોકલવામાં આવશે ત્યારે આજે ૫ કરોડના બદલે ૧૬ કરોડની રકમ એકઠી થઈ ગઈ છે.

મોરારિબાપુએ જણાવ્યું હતું કે ચિત્રકૂટધામ તલગાજરડામાં તુલસીપત્રના રૂપે ઠાકોરજીના ચરણોમાં રૂપિયા અર્પણ કરું છું. શ્રોતાગણ તરફથી જે પણ કંઈ આવે તે બધા રૂપિયા મેળવીને આ પૈસા મોકલવામાં આવશે. મોરારિબાપુએ જણાવ્યું હતું કે ગઈ કાલે સાંજ સુધીમાં માત્ર ભારતમાંથી ૧૦ કરોડ રૂપિયા આસપાસની રકમ એકત્ર થઈ ગઈ હતી, જ્યારે ૩ કરોડ ૫૧ લાખ રૂપિયા અમેરિકાથી અને કેનેડામાંથી, ૨ કરોડ ૮૦ લાખ રૂપિયા યુકે અને યુરોપથી આવ્યા છે. આમ કુલ અત્યાર સુધીમાં ૧૬ કરોડથી પણ વધારે રકમ એકઠી થઈ ગઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

02 August, 2020 11:32 AM IST | Bhavnagar | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK