ગઈ કાલે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પોતાના મતવિસ્તાર ઘાટલોડિયામાં ગઈ કાલે તિરંગા યાત્રાનો ફ્લૅગ ઑફ કરાવીને પ્રારંભ કરાવ્યો હતો
તસવીર : પી.ટી.આઇ.
રાષ્ટ્રવ્યાપી અભિયાન ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત ૧૩થી ૧૫ ઑગસ્ટ દરમ્યાન દેશવાસીઓ પોતપોતાના ઘર, પ્રતિષ્ઠાન, કચેરી, કાર્યાલય, ઑફિસ પર તિરંગો લહેરાવે એ અંતર્ગત તિરંગા-યાત્રા યોજાઈ રહી છે ત્યારે ગઈ કાલે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પોતાના મતવિસ્તાર ઘાટલોડિયામાં ગઈ કાલે તિરંગા યાત્રાનો ફ્લૅગ ઑફ કરાવીને પ્રારંભ કરાવ્યો હતો. જ્ઞાનદા ગર્લ્સ હાઈ સ્કૂલ દ્વારા આયોજિત આ તિરંગા-યાત્રામાં સ્કૂલની ૧૫૫૧ વિદ્યાર્થિનીઓએ ૧૫૫૧ ફુટ લાંબા તિરંગા સાથે યાત્રા યોજી હતી.