નીતીશકુમારના માનમાં પાકિસ્તાની પ્રેસિડન્ટનું સ્પેશ્યલ દિવાળી ડિનર
ADVERTISEMENT
બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમાર શુક્રવારથી પાકિસ્તાનની એક અઠવાડિયાની મુલાકાત માટે ગયા છે. ગઈ કાલે નીતીશકુમારની પાકિસ્તાના પ્રેસિડન્ટ આસિફ અલી ઝરદારી સાથે સાંજે મીટિંગ હતી અને પછી ફૉર્મલ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું, પણ જ્યારે આસિફ અલી ઝરદારીને ખબર પડી કે આ દિવસે હિન્દુઓનો બહુ મોટો તહેવાર દિવાળી આવે છે ત્યારે તેમણે નીતીશકુમારના માનમાં ખાસ દિવાળી ડિનરનું આયોજન કર્યું હતું.
પાકિસ્તાના પ્રેસિડન્ટનો આ નિર્ણય દર્શાવે છે કે તેઓ નીતીશકુમારની આ મુલાકાતને કેટલી મહત્વની માને છે. આસિફ અલી ઝરદારીએ દિવાળી નિમિત્તે ખાસ સંદેશ પણ આપ્યો હતો જેમાં હિન્દુઓને અભિનંદન આપીને આંતરિક એકતા વધારવાની અને લઘુમતીઓના હકોની જાળવણી કરવાની વિનંતી કરી હતી. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે પાકિસ્તાનમાં હિન્દુઓ અને લઘુમતીઓને સમાન હકો છે અને ધર્મને નામે કોઈ સાથે અન્યાય નહીં કરવામાં આવે.