ગોધરાકાંડના મુદ્દે ગોરધન ઝડફિયાની તપાસપંચ દ્વારા ઇન-કૅમેરા પૂછપરછ થઈ
Published: 28th December, 2011 05:03 IST
જસ્ટિસ જી. ટી. નાણાવટી અને જસ્ટિસ અક્ષય મહેતાએ ગઈ કાલે ગુજરાત બીજેપી સરકારના તત્કાલીન ગૃહપ્રધાન અને હાલમાં મહાગુજરાત જનતા પાર્ટીના અધ્યક્ષ ગોરધન ઝડફિયાની ગોધરાકાંડ અને ત્યાર બાદ થયેલાં રમખાણ સંદર્ભે ‘ઇન-કૅમેરા’ પૂછપરછ કરી હતી.
અમદાવાદ: ગોધરાકાંડની તપાસ માટે નીમવામાં આવેલા જસ્ટિસ નાણાવટી અને જસ્ટિસ મહેતા તપાસ પંચ સમક્ષ ગઈ કાલે ગોરધન ઝડફિયા હાજર થયા હતા. લગભગ અઢી કલાક સુધી ઇન-કૅમેરા તેમની પૂછપરછ ચાલી હતી. પૂછપરછ પૂરી થયા બાદ બહાર આવેલા ગોરધન ઝડફિયાએ પત્રકારો સાથે વાત કરવાનું ટાળ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે ગોરધન ઝડફિયાએ ગુજરાત બીજેપી સાથે છેડો ફાડીને તેમનો અલગ પક્ષ મહાગુજરાત જનતા પાર્ટી રચ્યો છે.
બીજી તરફ ગોધરાકાંડના મુદ્દે જન સંઘર્ષ મંચે ગોરધન ઝડફિયાની ઊલટતપાસ કરવા પંચ સમક્ષ અરજી કરી હતી, જે પંચ દ્વારા મંજૂર કરવામાં આવતાં ૧૩ જાન્યુઆરી ૨૦૧૨ના રોજ જન સંઘર્ષ મંચ ગોરધન ઝડફિયાની ઊલટતપાસ કરશે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK