Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદ: દાણીલીમડામાં મર્ડર, વધુ એક યુવાનની થઈ કરપીણ હત્યા

અમદાવાદ: દાણીલીમડામાં મર્ડર, વધુ એક યુવાનની થઈ કરપીણ હત્યા

11 January, 2019 03:36 PM IST | અમદાવાદ

અમદાવાદ: દાણીલીમડામાં મર્ડર, વધુ એક યુવાનની થઈ કરપીણ હત્યા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અમદાવાદ શહેરમાં દિવસે દિવસે હત્યા, ચોરી લૂંટના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. હજુ તો બે દિવસ પહેલા બહેરામપુરામાં સામાન્ય તકરારમાં થયેલી હત્યાનો મામલો હજુ શાંત નથી પડ્યો ત્યાં દાણીલીમડામાં એક યુવાનની ઘાતકી રીતે હત્યા કરવાની ઘટના સામે આવી છે. કુદરતી હાજતે ગયેલ યુવકને અજાણ્યા લોકોએ લૂંટીને મોતને ઘાટ ઉતાર્યો હતો. દાણીલીમડા પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી પ્રમાણે, બારેજામાં રહેતો અને દાણીલીમડામાં આવેલ એક ફેક્ટરીમાં નોકરી કરતો મનોજ પરમાર સવારે 9 વાગે કામ પર આવી ગયો હતો. દસ વાગ્યા આસપાસ તે બાજુની ફેક્ટરીમાં અવાવરૂ જગ્યામાં કુદરતી હાજત માટે ગયો હતો. આ ફેક્ટરીની નજીક કેટલાક અસામાજિક તત્વો પોતાનો અડ્ડો જમાવીને બેઠા હતા.



આ પણ વાંચો: જુનાગઢ: પિતાની નશાની આદતથી કંટાળ્યો હતો પુત્ર, કરી નાખી હત્યા


મહેન્દ્ર જેવો તે જગ્યાએ પહોંચ્યો કે તે તત્વોએ તેની પર હુમલો કર્યો હતો અને તેની પાસે રહેલ મોબાઇલ તેમજ રોકડની લૂંટ કરી તેને ચપ્પાના ઘા મારીને ફરાર થઈ ગયા હતા. લોહીથી લથપથ મહેન્દ્ર ફેક્ટરીની બહાર આવ્યો અને જમીન પર ઢળી પડ્યો હતો. સ્થાનિક લોકોએ તેને જોયો અને હોસ્પિટલ પહેંચાડ્યો, જ્યાં હાજર ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો. પોલીસે હાલ આગળની તપાસ હાથ ધરી છે.


Whatsapp-channel Whatsapp-channel

11 January, 2019 03:36 PM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK