કાંદાની નિકાસ પરનો પ્રતિબંધ હટાવાયો
પ્રતીકાત્મક તસવીર
કેન્દ્ર સરકારે ગઈ કાલે કાંદાની નિકાસ પર લગાવાયેલો પ્રતિબંધ દૂર કરી દીધો હતો. છેલ્લા કેટલાક સમયથી કાંદાના ભાવ સતત ગગડી રહ્યા હોવાથી કાંદાનું વાવેતર કરતા ખેડૂતોએ નિકાસબંધી હટાવવાની માગણી કરી હતી, જે કેન્દ્ર સરકારે પૂરી કરતાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.
ભારતની બજારમાં અત્યારે કેટલી માત્રામાં કાંદા ઉપલબ્ધ છે એ જાણી શકાયું નથી, પરંતુ ૧ જાન્યુઆરી ૨૦૨૧થી કાંદાની નિકાસ કરવા પર લગાવાયેલા તમામ પ્રતિબંધ સરકારે હટાવવાનો નિર્ણય ગઈ કાલે લીધો હતો. કાંદાના અચાનક ભાવ વધવાથી કેન્દ્ર સરકારે ૧૪ સપ્ટેમ્બરે કાંદાની નિર્યાતની સાથે કાંદાનો બે ટન સ્ટૉક રાખવાની મર્યાદા લાદી હતી. ગઈ કાલે તમામ પ્રતિબંધ અને મર્યાદા દૂર કરાઈ હતી.