Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > યશવંત સિંહા નાગરિકતા કાયદા સામે વિરોધ માટે છ રાજ્યોનો પ્રવાસ કરશે

યશવંત સિંહા નાગરિકતા કાયદા સામે વિરોધ માટે છ રાજ્યોનો પ્રવાસ કરશે

05 January, 2020 11:51 AM IST | Mumbai Desk

યશવંત સિંહા નાગરિકતા કાયદા સામે વિરોધ માટે છ રાજ્યોનો પ્રવાસ કરશે

યશવંત સિંહા નાગરિકતા કાયદા સામે વિરોધ માટે છ રાજ્યોનો પ્રવાસ કરશે


કેન્દ્રના ભૂતપૂર્વ પ્રધાન યશવંત સિંહાએ સિટિઝનશિપ (અમેન્ડમેન્ટ) બિલ, નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ અને નૅશનલ પોપ્યુલેશન રજિસ્ટરના વિરોધ માટે ‘રાષ્ટ્ર મંચના નેજા હેઠળ ‘ગાંધી શાંતિયાત્રા’ નામે છ રાજ્યોના પ્રવાસનો કાર્યક્રમ ગઈ કાલે જાહેર કર્યો હતો. સિંહાએ જણાવ્યા પ્રમાણે ૩૦૦૦ કિલોમીટરના એ પ્રવાસની ત્રીજી જાન્યુઆરીએ મુંબઈમાં ગેટ વે ઑફ ઇન્ડિયા (એપોલો બંદર)થી શરૂઆત કરીને મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પછી દિલ્હીમાં રાજઘાટ ખાતે ગાંધીજીની પુણ્યતિથિ-ત્રીસમી જાન્યુઆરીએ સવારે ૧૧.૦૦ વાગ્યે યાત્રાની પૂર્ણાહુતિ થશે. 

ગઈ કાલે યશવંત સિંહાએ ગાંધી શાંતિયાત્રાની જાહેરાત કરી એ વેળા ભૂતપૂર્વ સંસદસભ્ય શત્રુઘ્ન સિંહા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સુરેશ મહેતા હાજર હતા.


Whatsapp-channel Whatsapp-channel

05 January, 2020 11:51 AM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK