Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સ્ટ્રૉબેરીને મીઠાના પાણીમાં નાખી તો નીકળ્યા અધધધ કીડા

સ્ટ્રૉબેરીને મીઠાના પાણીમાં નાખી તો નીકળ્યા અધધધ કીડા

22 May, 2020 09:27 AM IST | Mumbai Desk
Mumbai Correspondent

સ્ટ્રૉબેરીને મીઠાના પાણીમાં નાખી તો નીકળ્યા અધધધ કીડા

સ્ટ્રોબેરીમાંથી નીકળ્યા અઢળક કીડા

સ્ટ્રોબેરીમાંથી નીકળ્યા અઢળક કીડા


જો તમને સ્ટ્રૉબેરી ભાવે છે તો આ સમાચાર વાંચીને નક્કી એના પ્રત્યે અભાવ થઈ જશે. ટિકટૉક પર આમ તો દિમાગ વિનાની કૉમેડીઓ થયા કરતી હોય છે, પરંતુ એક છોકરીએ સ્ટ્રૉબેરીમાં કેટલો સડો હોય છે એ વિડિયોમાં બતાવ્યું છે. તેણે સ્ટ્રૉબેરીને મીઠાના પાણીમાં નાખી તો ફળમાંથી ધીમે-ધીમે સળવળતા કીડા નીકળતા જોવા મળ્યા.
કહેવાય છે કે સ્ટ્રૉબેરીને બજારમાંથી લાવીને તરત જ ન ખાવી જોઈએ. ઓછામાં ઓછા અડધો કલાક માટે એને મીઠાના પાણીમાં બોળી રાખવી જોઈએ. વાઇરલ થયેલા ટિકટૉક વિડિયોમાં 30 મિનિટ મીઠાના પાણીમાં બોળી રાખ્યા પછી સ્ટ્રૉબેરીમાંથી કીડા નીકળતા જોવા મળ્યા હતા.
આ વિડિયોને અત્યાર સુધીમાં 25 લાખ વ્યુઝ મળ્યા છે. ટિકટૉક યુઝરે થોડા આગળ વધીને સ્ટ્રૉબેરીને માઇક્રોસ્કોપની નીચે મૂકી તો એમાં ફળની સપાટી પર નાના કીડા જોવા મળ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

22 May, 2020 09:27 AM IST | Mumbai Desk | Mumbai Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK