દેશના સૌથી શ્રીમંત ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેના ભાઈ અનિલ અંબાણીને સરકાર દ્વારા અપાયેલી ઝેડ સિક્યૉરિટીને પડકારતી એક અરજી સુપ્રીમ કોર્ટ ફગાવી દીધી હતી. જોકે કોર્ટે મુંબઈ હાઈ કોર્ટના એ અભિપ્રાયને બહાલ રાખ્યો હતો કે શ્રીમંતોએ પોતાની સિક્યૉરિટીનો ખર્ચ પોતે ઉપાડી લેવો જોઈએ.
૨૦૧૩માં મનમોહન સિંહની સરકારે અંબાણી ભાઈઓને ઝેડ પ્લસ સિક્યૉરિટી આપી ત્યારે એ નિર્ણયને મુંબઈ હાઈ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. અરજદારની દલીલ એવી હતી કે આ ભાઈઓ પોતાની સિક્યૉરિટીનો ખર્ચ પોતે ઉપાડી શકે એટલા સમૃદ્ધ છે. હાઈ કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. જોકે હાઈ કોર્ટે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે દેશના અર્થતંત્રમાં માતબર પ્રદાન કરતા આ ભાઈઓની જાનને જોખમ હોય તો એ મુદ્દાને હળવાશથી લઈ શકાય નહીં. કોને કેટલી અને કેવી સિક્યૉરિટી આપવી એ નક્કી કરવાનું કામ સરકારનું છે, કોર્ટનું નથી.
મહારાષ્ટ્ર: કોવિડ વેક્સિનનો બીજો ડૉઝ લીધાની થોડીવારમાં વ્યક્તિનું નિધન
3rd March, 2021 14:44 ISTબૉલીવુડમાં ફીમેલ સિંગરનો ટૅગ હટાવવા માગે છે શિલ્પા રાવ
3rd March, 2021 12:30 ISTકમલ હાસને લીધી વૅક્સિન
3rd March, 2021 12:23 ISTઅર્થની રીમેકમાં બૉબી દેઓલ સાથે દેખાશે જૅકલિન અને સ્વરા?
3rd March, 2021 12:21 IST