હકીકતમાં મહાનગરપાલિકાએ ૮૦૦ મિલીમીટર વ્યાસ ધરાવતી ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે, સુમનનગર અને કુર્લા (ઈસ્ટ)ની પાઇપલાઇનના ડાઇવર્ઝનનું કામ હાથ ધર્યું હોવાથી એને લગતું કામ આવતી કાલે સવારે નવ વાગ્યાથી શનિવારે સાંજે ચાર વાગ્યા સુધી ચાલશે, જેને કારણે આ પાણીકાપ લાદવાની ફરજ પડી છે.
પાણીકાપના સમય દરમ્યાન નેહરુનગર, મ્હાડાના વિસ્તાર, શિવસૃષ્ટિ વિસ્તાર, કસાઈવાડા, ચૂનાભટ્ટી, એવરાર્ડનગર, રાહુલનગર નંબર ૧૬૨ અને ‘એલ’ વૉર્ડમાં આવેલા મહાત્મા ફુલેનગરમાં પાણી નથી આવવાનું. આ સિવાય એમ-વેસ્ટ વૉર્ડમાં ભક્તિપાર્ક અને એફ-નૉર્થ વૉર્ડમાં પ્રતીક્ષાનગર તથા સાવિત્રીબાઈ ફુલેનગરમાં પણ પાણીના સપ્લાય પર અસર પડી શકે છે. મહાનગરપાલિકાએ આ પાણીકાપ દરમ્યાન સમસ્યા ન ઊભી થાય એ માટે નાગરિકોને પાણીનો સંગ્રહ કરી લેવાની વિનંતી કરી છે.
કોરોનાની તપાસમાં ખબર પડી કે ફેફસામાં તો ટાંકણી અટકી ગઈ છે
25th February, 2021 09:05 IST૫૦ની પરમિશન ને ૨૦૦ ગૅસ્ટ હાજર
23rd February, 2021 07:58 ISTબહારગામથી કુર્લા અને સીએસએમટી આવશો તો ઘર સુધી જવા મળશે ઈ-બસ
22nd February, 2021 10:56 ISTકોવિડના નવા હૉટ-સ્પૉટ ચેમ્બુરમાં કોરોનાની સ્પીડ પર બ્રેક મારવાના તનતોડ પ્રયત્નો શરૂ
17th February, 2021 12:20 IST