વાનખેડે સ્ટેડિયમમાં આમંત્રણ વગર ઘૂસેલો માણસ છેક મોદી સુધી પહોંચી ગયો હતો
મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈની સુરક્ષામાં કેવાં છીંડાં છે એની ખળભળાટ મચાવનારી એક ઘટના સામે આવી છે. ૩૧ ઑક્ટોબરે વાનખેડે સ્ટેડિયમમાં રાજ્યના નવા ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસના શપથ-સમારોહમાં એક વ્યક્તિ કોઈ પણ સત્તાવાર પાસ વગર જ પોતે BJPનો વર્કર હોવાનું કહીને ઘૂસી ગયો હતો અને છેક સ્ટેજ પર પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી, નવા ચીફ મિનિસ્ટર અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે બેઠા હતા ત્યાં સુધી પહોંચી ગયો હતો. સ્ટેજ પર મોદીની નજીક દેખાતી આ વ્યક્તિનું નામ અનિલ મિશ્રા હોવાનું બહાર આવ્યું છે અને તે કઈ રીતે કોઈ પણ જાતના પરવાના વગર છેક સુધી પહોંચી ગયો એની તપાસ પોલીસે શરૂ કરી છે.