વિશાખાપટ્ટનમ: કેમિકલ પ્લાન્ટમાં ગેસ લીક થવાથી બે બાળક સહિત દસના મોત
તસવીર સૌજન્ય: એએનઆઈ
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં આવેલા વેન્કટપુરમ ગામમાં આવેલ કેમિકલ પ્લાન્ટમાં આજે વહેલી સવારે 3.30 વાગ્યાની આસપાસ ગેસ લીક થયો હતો. આ દુર્ઘટનામાં એક બાળક સહિત આઠ જણનું મોત થયું છે અને 5000 જેટલા લોકોને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ જેવી મુશ્કેલીઓ થઈ રહી હોવાથી તેઓ બીમાર પડયા હોવાની માહિતિ મળી છે. આર એસ વેન્કટપુરમ ગામમાં એલજી પોલિમર્સ ઈન્ડસ્ટ્રીમાં કેમિકલ ગેસ લીકેજ થવાની ઘટના બની છે. આ ગેસ ત્રણ કિમી સુધી ફેલાયો હતો. હજી પણ ઘટનાસ્થળે રાહતકાર્ય ચાલુ છે અને બાકીના લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યાં છે.
આ દુર્ઘટનમાં મૃત્યુઆંક ધીમે ધીમે વધી જ રહ્યો છે. અત્યાર સુધી બે બાળકો સહિત 10 જણનું મૃતયુ થયું છે.
ADVERTISEMENT
There have been 7 casualties so far, one of them fell into well while trying to escape. #VizagGasLeak occurred at around 3:30 am today morning. The evacuation operation is still underway. The plant was shut due to the countrywide lockdown: Andhra Pradesh DGP, DG Sawang to ANI. pic.twitter.com/ua4wT6PWwZ
— ANI (@ANI) May 7, 2020
જિલ્લા ચિકિત્સા તથા સ્વાસ્થ્ય અધિકારી (ડીએમએચઓ)એ જણાવ્યું કે, આર એસ વેન્કટપુરમ ગામ સ્થિત એલજી પોલિમર ઉદ્યોગમાં રસાયણિ ગેસ લીકેજ બાદ એક બાળક સહિત સાત લોકોનાં મોત થયા છે. મળતી માહિતિ મુજબ, એનડીઆએફ અને એસડીઆરએફની ટીમને ઘટનાસ્થળે મોકલી દેવામાં આવી હતી. તો બીજી બાજુ પોલીસ અને તંત્રએ સ્થાનિક લોકોની મદદથી રેસ્ક્યૂ કામ ચાલું કરી દીધું હતું. રેસક્યુ ટીમને લગભગ 50 લોકો રસ્તા પર બેભાન અવસ્થામાં મળ્યાં હતા.
Andhra Pradesh: Chemical gas leakage reported at LG Polymers industry in
— ANI (@ANI) May 7, 2020
RR Venkatapuram village, Visakhapatnam. People being taken to hospital after they complained of burning sensation in eyes&breathing difficulties. Police, fire tenders, ambulances reach spot.Details awaited. pic.twitter.com/uCXGsHBmn2
રાહતકાર્ય હજી પણ ચાલુ જ છે અને મૃત્યુઆંક વધવાની શક્યતા છે. 250 લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ર્દુઘટના પર પ્રતિક્રયા આપતાં કહ્યું હતુ કે, વિશાખાપટ્ટનમના સંબંધમાં એમએચએ અને એનડીએમએના અધિકારીઓ સાથે વાત કરી છે. તેની પર સતત નજર રાખવામાં આવી રહી છે. વિશાખાપટ્ટનમમાં તમામની સુરક્ષા એન કલ્યાણ માટે પ્રાર્થના કરું છું. તેમણે આ બાબતે ટ્વીટ પણ કર્યું હતું.
Spoke to officials of MHA and NDMA regarding the situation in Visakhapatnam, which is being monitored closely.
— Narendra Modi (@narendramodi) May 7, 2020
I pray for everyone’s safety and well-being in Visakhapatnam.
જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને ગેસ લીકેજની દુર્ઘટનામાં પ્રભાવિત થયેલા તમામ લોકોને મદદ પુરી પાડવાનો આગ્રહ કર્યો હતો.
I’m shocked to hear about the
— Rahul Gandhi (@RahulGandhi) May 7, 2020
#VizagGasLeak . I urge our Congress workers & leaders in the area to provide all necessary support & assistance to those affected. My condolences to the families of those who have perished. I pray that those hospitalised make a speedy recovery.
આસપાસના ગામો પ્રશાસને ખાલી કરાવ્યા હોવાની માહિતિ મળી છે. એટલું જ નહીં તપાસ માટે વિશેષ ટીમ પણ બનાવવામાં આવી છે.
Shocking ??
— SKN (@SKNonline) May 7, 2020
Styrene Gas leak from #LGPolymers plant in #visakhapatnam#VizagGasLeak
100s of people fainted on road. 5 villages evacuated. 8 people reported dead. Gas spread over 5 km radius. Death toll may rise
Reminds #BhopalGasTragedy
Dear Vizag people pls take care pic.twitter.com/mlFbCoa4NK
અમિત શાહે પણ દુર્ઘટના વિષે ટ્વીટ કર્યું હતું.
The incident in Vizag is disturbing.
— Amit Shah (@AmitShah) May 7, 2020
Have spoken to the NDMA officials and concerned authorities. We are continuously and closely monitoring the situation.
I pray for the well-being of the people of Visakhapatnam.
વધુ તપાસ ચાલુ છે.
મળતી માહિતિ પ્રમાણે, વડાપ્રધાને મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી સાથે વાત કરી છે. અત્યાર સુધી 1500 લોકોને કાઢવામાં આવ્યા છે અને 500થી વધારે લોકોને હોસ્પિટલમાં ભરતી કરાવાયા છે. જે લોકો ગંભીર રીતે બિમાર છે, તેમને વિશાખાપટ્ટનમની કિંગ જ્યોર્જ હોસ્પિટલમાં ભરતી કરાવામાં આવ્યા છે. આ ઉપરાંત 20 લોકોની હાલત ગંભીર છે. જેમાં મોટાભાગે વૃદ્ધ અને બાળકો છે. સરકારી હોસ્પિટલમાં લગભગ 150 લોકોને દાખલ કરવામાં આવ્યા છે. ગોપાલપુરમની ખાનગી હોસ્પિટલમાં પણ લોકોને દાખલ કરવામાં આવ્યા છે.
આ દુર્ઘટનમાં મૃત્યુઆંક ધીમે ધીમે વધી જ રહ્યો છે. અત્યાર સુધી બે બાળકો સહિત 10 જણનું મૃતયુ થયું છે. રાહતના સમચારા એ પણ છે કે, એનડીઆરએફ દ્વારા કરવામાં આવેલા રાહત કાર્ય અને બચાવ અભિયાનમાં 27 લોકો સામેલ છે અને લગભગ 80 થી 90 ટકા લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
પ્રાથમિક અહેવાલ પ્રમાણે ગેસ લીક કઈ રીતે થયો તે વિશે કહેવાય છે કે, કોરોના વાયરસને કારણે આ ફેક્ટરી માર્ચ મહિનાથી બંધ હતી. તેને કારણે કેમિકલ રીએક્શન થયું છે. ગેસના 5000 ટનના બે ટેન્ક લીક થયા છે. કોની અંદરની ગરમીના કારણે ગેસનું ગળતર થયું છે.