Viral Video: શિવસેના નેતાએ વોર્નિંગ આપી આ મીઠાઈની દુકાનના માલિકને
વીડિયોમાંથી લીધેલો ગ્રેબ
સોશ્યલ મીડિયામાં શિવસેનાના એક નેતાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે મુંબઈના બાંદરા વેસ્ટના કરાચી સ્વીટ્સના માલિકને કહે છે કે તે પોતાની દુકાનનું નામ બદલે.
ADVERTISEMENT
ગુરુવારે શિવસેના નેતા નીતિન નંદગાવકરે એક વીડિયો અપલોડ કર્યો હતો જેમાં તે દુકાનદારને કહે છે કે, દુકાનનું નામ એવુ રાખે જેનો સંબંધ કરાચી સાથે ન હોય અથવા દુકાનનું નામ મરાઠીમાં લખે.
Mumbai: Video of Shiv Sena leader Nitin Nandgaokar goes viral, where he's allegedly asking Karachi Sweets shop owner in Bandra West to change the name 'Karachi'.
— ANI (@ANI) November 19, 2020
"You have to do it, we're giving you time. Change 'Karachi' to something in Marathi," says Nitin Nandgaokar in video. pic.twitter.com/PfmM4B65ac
આ વીડિયો શૅર કરતા નંદગાવકરે કહ્યું કે મહારાષ્ટ્ર કરાચી શબ્દને ચલાવી લેશે નહીં. તેમણે દુકાનદારને ફેરફાર કરવા માટે 15 દિવસનો સમય આપ્યો છે. નંદગાવકરે આ દુકાનદારને કહ્યું કે, તુ કરાચીથી આવ્યો હોઈશ પરંતુ હવે તું મુંબઈમાં છે, બરાબર? હવે એક વાત સ્પષ્ટ છે, મને ફરક નથી પડતો તુ કયા ધર્મનો છે- તુ હિંદુ હોય, મુસ્લિમ હોય કે અન્ય કોઈ પણ ધર્મનો હોય પણ કરાચી શબ્દનો ઉપયોગ કરીશ નહીં. આનો અર્થ એમ થાય કે તુ પાકિસ્તાનથી આવ્યો છે. તારા વડિલ કરાચીના હશે પરંતુ ભાગલા બાદ તમે અહીં આવ્યા છો. તમારુ સ્વાગત છે, ધમે બિઝનેસ કરો પણ આ નામનો ઉપયોગ ન કરો.
Mumbai: The 'Karachi Sweets' shop in Bandra West - the owner of which was allegedly asked by Shiv Sena leader Nitin Nandgaokar to omit the word 'Karachi' from its name - now has the name covered with newspaper. https://t.co/yksVJcEvay pic.twitter.com/Ckedbi9SbA
— ANI (@ANI) November 19, 2020
નંદગાવકરે ઉમેર્યું કે, આપણને કરાચીથી ખુબ પ્રોબ્લેમ છે. ભાઈબીજના દિવસે પાકિસ્તાને આપણા જવાનોને મારી નાખ્યા હતા. તમે આ નામ મહેરબાની કરીને બદલો. આ કરાચી શબ્દથી મને નફરત છે કારણ કે આ આતંકવાદના દેશનો ભાગ છે. પાલિકામાં જઈને નામ બદલો. તમારા નામે કે તમારા વડીલના નામે દુકાનનું રજીસ્ટ્રેશન કરો. મારી વિનંતી છે કે તમે આમ કરશો, અમે તમને સમય આપીશું.
વીડિયોમાં દુકાનદાર પણ સમજાવે છે કે કરાચી સાથે દુકાનનું કંઈ લેવાદેવા નથી. શિવસેના નેતાએ કહ્યું કે, હુ જાતે આવીને અહીંયાથી મિઠાઈની ખરીદી કરીશ પણ આ નામ બદલ અને નામ મરાઠીમાં લખ, સાઈનબોર્ડમાં પણ ફેરફાર કર.
સમગ્ર વાતચીત બાદ દુકાનદારે હોર્ડિંગને ન્યૂઝપેપર્સથી કવર કરી દીધુ હતું. દરમ્યાન મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ પણ બાંદરાની આ રાચી બેકરીની બ્રાન્ચને ઘણી લીગલ નોટિસ મોકલી છે. એવી પણ માગ છે કે હૈદરાબાદથી મહારાષ્ટ્રની બ્રાન્ચોમાં જે બૉક્સિસની સપ્લાય થાય છે તેમાં પણ મરાઠીમાં લખેલુ હોવુ જોઈએ.
રાજ ઠાકરેના નેજા હેઠળની મનસેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ અને કરાચી બેકરીની હૈદરાબાદની હેડ ઓફિસમાં પણ આ નામનો વિરોધ દર્શાવતા પત્ર લખ્યો છે.