Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > નર્મદામાં ભારે વરસાદના કારણે ઝીરો વિઝિબિલિટી, રોડથી જશે કેવડિયા

નર્મદામાં ભારે વરસાદના કારણે ઝીરો વિઝિબિલિટી, રોડથી જશે કેવડિયા

16 August, 2019 08:43 PM IST |

નર્મદામાં ભારે વરસાદના કારણે ઝીરો વિઝિબિલિટી, રોડથી જશે કેવડિયા

નર્મદામાં ભારે વરસાદના કારણે ઝીરો વિઝિબિલિટી, રોડથી જશે કેવડિયા


મુખ્યપ્રધાન વિજય રૂપાણી 16 અને 17 ઓગસ્ટ ના બે દિવસ કેવડિયાની મુલાકાતે છે. ભારે વરસાદને કારણે કેવડિયામાં ઝીરો વિઝિબિલિટિ છે, ઝીરો વિઝિબિલિટીને કારણે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હેલિકોપ્ટર કેવડિયા જવા માટે પરવાનગી આપવામાં આવી નથી જેના કારણે વડોદરામાં હેલિકોપ્ટર ઉતારવામાં આવ્યું છે. વિજય રૂપાણી કેવડિયા હેલિકોપ્ટરની જગ્યાએ રોડ દ્વારા થશે. પીએમ મોદીના આગમન પહેલા તૈયારી અને સુરક્ષા અંગે અધિકારીઓ સાથે બેઠક કરશે.

PM મોદી બે વાર લેશે કેવડિયાની મુલાકાત



પીએમ મોદી 15 સપ્ટેમ્બરે કેવડિયાના મહેમાન બનશે. કેવડિયા ખાતે આગામી 13, 14 અને 15 સપ્ટેમ્બર વિદેશ નીતિને લઇને રાષ્ટ્રીય કક્ષાની બેઠક યોજાનાર છે. આ બેઠકમાં પીએમ મોદી હાજરી આપશે. પીએમ મોદી 31 ઓક્ટોબરે કેવડિયાની મુલાકાત બીજી વાર લેશે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન અલગ અલગ પોજેક્ટ્સનુ લોકાર્પણ કરશે. પીએમ મોદીના આવવા પહેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણી કેવડિયા પહોચી રહ્યા છે અને અધિકારીઓ સાથે બેઠક કરશે


મુખ્યપ્રધાન વિજય રૂપાણી શનિવારે સવારે 8.30 કલાકે કેવડિયા કોલોનીમાં જુદા જુદા પ્રોજેક્ટ સ્થળની મુલાકાત લેશે અને બાકી કામગીરી અંગે જાણકારી મેળવશે. મુખ્યપ્રધાન અધિકારીઓ સાથે જરૂરી સમીક્ષા બેઠક યોજશે. ત્યારબાદ બપોરે વડોદરા એરપોર્ટ પરત ફરશે.


Whatsapp-channel Whatsapp-channel

16 August, 2019 08:43 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK