Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતમાં 3 દિવસ ભારે વરસાદ, સુસવાટા મારતા પવન ફુંકાશે

ગુજરાતમાં 3 દિવસ ભારે વરસાદ, સુસવાટા મારતા પવન ફુંકાશે

13 June, 2019 11:50 AM IST | સોમનાથ

ગુજરાતમાં 3 દિવસ ભારે વરસાદ, સુસવાટા મારતા પવન ફુંકાશે

PC : ANI

PC : ANI


ગુજરાતમાટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર'વાયુ' વાવાઝોડાનો રૂટ બદલાયો છે. હવે વાવાઝોડુ વેરાવળ - પોરબંદરના બદલે આજે સવારે ઓમાન તરફ ફંટાયુ છે. વાવાઝોડાની અસર ઓછી થઈ છે પણ ખતરો સંપૂર્ણપણે પણ ટળ્યો નથી. આગામી ૧૫મી જૂન સુધી પવન અને ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  'વાયુ' વાવાઝોડુ ગઈકાલે ઉત્તર દિશામાં ગતિ કરી રહ્યુ હતું. જે આજે સવારથી ઉત્તર  ઉત્તર પશ્ચિમ દિશામાં ઓમાન તરફ ગતિ કરી રહ્યુ છે.

વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર-ગુજરાતના કાંઠાના વિસ્તારોમાં 3 દિવસ ભારે વરસાદ રહેશે
વધારે ગતિ પશ્ચિમ દિશામાં કરી રહ્યું છે. હાલના અનુમાનો પ્રમાણે આ વાવાઝોડુ ઓખા - નલીયા થઈ ઓમાન અને પાકિસ્તાન બોર્ડર ઉપર ફંટાશે. પરંતુ તેની અસર ઓછી થઈ છે. વાવાઝોડાના લીધે અરબી સમુદ્ર ડિસ્ટર્બ રહેશે. વાવાઝોડાની અસરથી સૌરાષ્ટ્ર - ગુજરાતના કાંઠાના વિસ્તારોમાં ૩ દિવસ ભારે પવન અને વરસાદનો ખતરો યથાવત રહેશે. જોરદાર પવન ફૂંકાશે. હવામાન વિભાગે આજનો દિવસ ખાસ કરીને સૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ૧૫ જૂન સુધી વરસાદી માહોલ જળવાઈ રહેશે.






સૌરાષ્ટ્રમાં આ શહેરોમાં ભારે પવન સાથે વરસાદ પડશે
આજે બપોર બાદ રાજકોટમાં ભારેથી અતિ ભારે
, સુરેન્દ્રનગર હળવાથી મધ્યમ, પોરબંદરમાં ભારે થી અતિભારે, મોરબીમાં હળવાથી મધ્યમ, દ્વારકામાં ભારે થી અતિભારે, કચ્છમાં ભારે, ભાવનગરમાં ભારે થી અતિભારે, જામનગરમાં ભારેથી અતિભારે, અમરેલીમાં ભારે થી અતિભારે, દીવમાં ભારે થી અતિભારે, દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયા ઝાપટા અને અમદાવાદ - ગાંધીનગરમાં સામાન્ય છાંટાછુટી થશે. રાજકોટ-પોરબંદર-દ્વારકા-કચ્છ-ભાવનગર-જામનગર-અમરેલી-દીવમાં ભારેથી અતિભારે વરસાદ પડશે આજે બપોર બાદ રાજકોટમાં ભારે થી અતિ ભારે, સુરેન્દ્રનગર હળવાથી મધ્યમ, પોરબંદરમાં ભારે થી અતિભારે, મોરબીમાં હળવાથી મધ્યમ, દ્વારકામાં ભારે થી અતિભારે, કચ્છમાં ભારે, ભાવનગરમાં ભારે થી અતિભારે, જામનગરમાં ભારેથી અતિભારે, અમરેલીમાં ભારે થી અતિભારે, દીવમાં ભારે થી અતિભારે, દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયા ઝાપટા અને અમદાવાદ - ગાંધીનગરમાં સામાન્ય છાંટાછુટી થશે.


Whatsapp-channel Whatsapp-channel

13 June, 2019 11:50 AM IST | સોમનાથ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK