Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વાલિવના બે પોલીસને ચાર જણે લાકડીથી માર માર્યો

વાલિવના બે પોલીસને ચાર જણે લાકડીથી માર માર્યો

11 October, 2012 08:16 AM IST |

વાલિવના બે પોલીસને ચાર જણે લાકડીથી માર માર્યો

વાલિવના બે પોલીસને ચાર જણે લાકડીથી માર માર્યો


વસઈ-ઈસ્ટના એવરશાઇનનગરના ગોખીવરે ભાગમાં આવેલા ગાવરાઈપાડાની પાસે શંકર ભગવાનના મંદિર પાસે ચાર જણ મોડી રાત સુધી બેઠા હતા. વાલિવના હવાલદાર ડી. એ. પગારે અને પોલીસ-કૉન્સ્ટેબલ વિનાયક આવનાળે મોડી રાતે લગભગ બે વાગ્યાની આસપાસ રાઉન્ડ પર નીકળ્યાં હતા ત્યારે મંદિર પાસે આ ચાર જણને જોતાં તેમણે અહીં શું કામ બેઠા છો એમ પૂછ્યું હતું. ચારેયે બરાબર જવાબ ન આપતાં પોલીસે થોડું જોર દઈને ફરી પૂછ્યું તો તેઓ રોષે ભરાઈ ગયા. ચારેએ તેમની પાસે રહેલી લાકડીથી પોલીસને માર માર્યો. પોલીસના માથા પર માર વાગ્યો હતો. ત્યાર બાદ ચારેય ત્યાંથી નાસી ગયા હતા. વાલિવ પોલીસ સરકારી કામમાં અડચણનો કેસ નોંધી ચારેયની તપાસ કરી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

11 October, 2012 08:16 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK