Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > શિવજીનાં પેઇન્ટિંગ્સમાં ચિત્રકારની જબરદસ્ત ગુસ્તાખી

શિવજીનાં પેઇન્ટિંગ્સમાં ચિત્રકારની જબરદસ્ત ગુસ્તાખી

29 December, 2012 06:00 AM IST |

શિવજીનાં પેઇન્ટિંગ્સમાં ચિત્રકારની જબરદસ્ત ગુસ્તાખી

શિવજીનાં પેઇન્ટિંગ્સમાં ચિત્રકારની જબરદસ્ત ગુસ્તાખી






વડોદરાની જગવિખ્યાત મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટ ગૅલેરીમાં ત્રણ દિવસ માટે રાખવામાં આવેલું પેઇન્ટિંગ એક્ઝિબિશન ગઈ કાલે સવારે સાડાદસ વાગ્યે શરૂ થયું અને માત્ર વીસ જ મિનિટમાં યુનિવર્સિટીના સંચાલકોએ આ એક્ઝિબિશન બંધ કરાવી દેવું પડ્યું. આટલું જ નહીં, યુનિવર્સિટીએ એક્ઝિબિશન જેણે ઑર્ગેનાઇઝ કર્યું હતું એ પેઇન્ટર સુરપાલ સિંહ સામે પોલીસમાં ફરિયાદ પણ કરી. સુરપાલ સિંહે ભગવાન શિવનાં અલગ-અલગ રૂપ દેખાડ્યાં હતાં, જેમાં તેમને શરાબી અને કામોત્તેજક પણ ચીતરવામાં આવ્યા હતા. સુરપાલ સિંહે કહ્યું હતું કે ‘મારો હેતુ કોઈની ધાર્મિક લાગણી દુભાવવાનો નહોતો. મેં તો આજના આ યુગને અને ભગવાન શિવને જોડવાનો એક પ્રયાસ કર્યો હતો.’


એક્ઝિબિશનમાં ભગવાન શિવનાં બાવીસથી વધુ પેઇન્ટિંગ રાખવામાં આવ્યાં હતાં; જેમાં બાઇક પર પાર્વતી સાથે ફરવા નીકળેલા શિવથી લઈને ગાર્ડનમાં પાર્વતી સાથે કામોત્તેજક થયેલા શિવ, શરાબનું સેવન કરતા શિવ જેવાં પેઇન્ટિંગ પણ હતાં. આ પેઇન્ટિંગ જોઈને જ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ ભડકી ગયા હતા અને તેમણે તોડફોડ શરૂ કરી હતી. જોકે એ પછી તરત જ એક્ઝિબિશન બંધ કરાવી દેવામાં આવતાં મામલો સચવાઈ ગયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

29 December, 2012 06:00 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK