Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મુલાયમ સિંહ યાદવની તબિયત લથડી, લખનઉની મેંદાતા હોસ્પિટલમાં દાખલ

મુલાયમ સિંહ યાદવની તબિયત લથડી, લખનઉની મેંદાતા હોસ્પિટલમાં દાખલ

11 May, 2020 07:25 AM IST | Uttar Pradesh
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મુલાયમ સિંહ યાદવની તબિયત લથડી, લખનઉની મેંદાતા હોસ્પિટલમાં દાખલ

મુલાયમ સિંહ યાદવ

મુલાયમ સિંહ યાદવ


ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવને ફરીથી લખનઉની મેંદાતા હોસ્ટિપલમાં દાખલ કરવામાં આવ્યા છે. પેટમાં થતા દુખાવાના લીધે એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવને શનિવારે જ ડૉક્ટરોએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપ્યો હતો પરંતુ રવિવારે સાંજે ફરીથી તબિયત ખરાબ થતા એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

જણાવી દઈએ કે પેટમાં સોજો અને દુખાવો થવાથી બુધવારે સાંજે મુલાયમ સિંહ યાદવને મેંદાતા હોસ્પિટલમાં દાખલા કરવામાં આવ્યા હતા. બે દિવસ સારવાર બાદ તબિયતમાં સુધારો થવાથી ડૉક્ટર્સે એમને હોસ્પિટલમાંથી રજા આપી હતી.



શનિવારે હોસ્પિટલના ડૉ રાકેશ કપૂરે જણાવ્યું હતું કે ભૂતપૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવનું પેટ ભરેલુ અને ફૂલ લાગી રહ્યું હતું. બાદ કોલોનોસ્કોપી કરાવ્યા બાદ એમને આરામ મળ્યો. શનિવારે લગભગ 11.30 વાગ્યે એમને ડિસ્ચાર્જ મળ્યો હતો. પરંતુ રવિવારે ફરીથી તબિયત ખરાબ થતા હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા. મેંદાતા ડૉ. રાકેશ કપૂરે જણાવ્યું કે હવે એમની તબિયતમાં સુધારો થયો અને તેઓ સ્વસ્થ છે.


Whatsapp-channel Whatsapp-channel

11 May, 2020 07:25 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK