Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બાળાસાહેબનું શિવ સેનાના CM બનાવવાનું સપનું પૂરું કરીશ: ઉદ્ધવ ઠાકરે

બાળાસાહેબનું શિવ સેનાના CM બનાવવાનું સપનું પૂરું કરીશ: ઉદ્ધવ ઠાકરે

29 September, 2019 10:27 AM IST | મુંબઈ

બાળાસાહેબનું શિવ સેનાના CM બનાવવાનું સપનું પૂરું કરીશ: ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરે


બાળાસાહેબને આપેલા વચન મુજબ રાજ્યમાં શિવસેનાના મુખ્ય પ્રધાન બનાવવા માટે હું તમામ પ્રયાસ કરીશ એમ ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે કહ્યું હતું. રંગશારદા સભાગૃહમાં યોજાયેલા શિવસૈનિકોના એક કાર્યક્રમમાં શિવસેનાપ્રમુખે આ નિવેદન આપ્યું હતું ત્યારે રાજ્યની તમામ ૨૮૮ વિધાનસભા બેઠકોના સંભવિત ઉમેદવારો પણ હાજર હતા. આ સમયે રાજ્યભરના ઈચ્છુક ઉમેદવારોને બોલાવવાનો અર્થ બીજેપી સાથેની યુતિ તૂટી છે એમ કહેવું બરાબર ન હોવાનું પણ તેમણે કહ્યું હતું.

બીજેપીના ટોપના નેતાઓ રાજ્યમાં ફરી એક વખત મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીમાં સરકાર બનાવવાનું વારંવાર કહી રહ્યા છે ત્યારે ઉદ્ધવ ઠાકરેનું પિતાને આપેલા વચનનું નિવેદન આવ્યું છે. શિવસેના દ્વારા રાજ્યમાં ફરી એનડીએની સરકાર બને તો ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને શિવસેનાના યુવાધ્યક્ષ આદિત્ય ઠાકરેને મુખ્ય પ્રધાન બનાવવા પ્રોજેક્ટ કરાઈ રહ્યો છે.



આ પણ જુઓઃ ફાલ્ગુની પાઠકથી લઈ અતુલ પુરોહિત સુધી, આ ગરબા ગાયકો છે નવરાત્રીની શાન..


સૂત્રોના જણાવ્યા મુજબ બીજેપી-શિવસેનાની યુતિ અને કોને કેટલી બેઠકો ફાળવાશે એ બન્ને પક્ષ શ્રાદ્ધ-પક્ષમાં જાહેર ન કરવા માગતા હોવાથી ખોરંભે ચડી છે. જો કે ગઈ કાલે શ્રાદ્ધ-પક્ષ પૂરા થઈ ગયા છે એટલે હવે ગમે તે ઘડીએ આ બાબતની જાહેરાત થવાની શક્યતા છે.


Whatsapp-channel Whatsapp-channel

29 September, 2019 10:27 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK