Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદમાં નવરંગપુરા પોલીસ સ્ટેશનના 2 કોન્સ્ટેબલ ગુમ થતાં પોલીસ બેડામાં

અમદાવાદમાં નવરંગપુરા પોલીસ સ્ટેશનના 2 કોન્સ્ટેબલ ગુમ થતાં પોલીસ બેડામાં

23 July, 2019 11:24 AM IST | Ahmedabad

અમદાવાદમાં નવરંગપુરા પોલીસ સ્ટેશનના 2 કોન્સ્ટેબલ ગુમ થતાં પોલીસ બેડામાં

નવરંગપુરા પોલીસ સ્ટેશન, અમદાવાદ

નવરંગપુરા પોલીસ સ્ટેશન, અમદાવાદ


Ahmedabad : ગુજરાતમાં સામાન્ય જનતા ગુમ થઇ જવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. પરંતુ સામાન્ય જનતાની સુરક્ષા માટે ખડેપગે રહેનાર પોલીસના ગુમ થઇ જવાની ફરીયાદ સામે આવતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે. મળી રહેલી માહિતી પ્રમાણે અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 2 પોલીસ કોન્સ્ટેબલ ગુમ થઇ ગયાની ઘટના સામે આવી છે. જેને પગલે પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે.

બંને કોન્સ્ટેબલ આત્મહત્યા કરવાનું કહીને ઘરેથી નિકળ્યા હતા : DCP
પોલીસ કોન્સ્ટેબલના ગુમ થવાની ઘટના પરDCP પ્રવીણ મલ દ્વારા પત્રકાર પરિષદ પણ યોજવામાં આવી હતી. ડીસીપીએ વધુમાં જણાવ્યું કે, બંન્ને નવરંગરપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કૌશલ ભટ્ટ અને જીગર સોલંકી પોતાન ઘરેથી આત્મહત્યા કરવાનું કહીને ઘરેથી નિકળ્યા હતા.

આ પણ જુઓ : Chandrayaan 2 પર જુઓ આ મજેદાર મીમ્સ

પીઆઇ સામેની ફરીયાદ અંગે બંને કોન્સ્ટેબલને જવાબ માટે બોલાવ્યા હતા

એસીપી બી ડીવીઝન બન્ને કોન્સ્ટેબલની પીઆઇ સામેની ફરિયાદ બાબતે જવાબ લખાવવા બોલાવ્યા હતા. જેમાં જીગર હાજર રહ્યો ન હતો જ્યારે કૌશલ અડધો જવાબ લખાવી જતા રહ્યા હતા. બન્ને પોલીસ કોન્સ્ટેબલને નોટિસ આપવામાં આવી છે. ત્યારે આ અંગે અન્ય ઝોનના ડિવિઝન અધિકારી પણ તપાસ કરી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં બન્ને કોન્સ્ટેબલ ગેરહાજર રહેવાની અને ખોટા આક્ષેપ કરવાની ટેવ ધરાવે છે. બન્ને કોન્સ્ટેબલની હેરાનગતિ હતી તો ડીસીપીને રજુઆત ન કરી એક પોલીસ જવાન કૌશલ ભટ્ટ સામે પેથાપુર ગાંધીનગરમાં જુગારનો કેસ થયેલો છે.


Whatsapp-channel Whatsapp-channel

23 July, 2019 11:24 AM IST | Ahmedabad

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK