અડધી રાત્રે વાળ કપાવાશે પણ એક પૅગ નહીં મળેઃ મુંબઇ 24x7 અંગે ટ્વીટર પર
પ્રતિકાત્મક તસવીર
મુંબઇ હવે 24x7 દોડતું રહેશેના સમાચાર મળતાં જ લોકો ટ્વિટર પર પોતાના વિચારો અને પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું. ટુરિઝમ મિનિસ્ટર આદિત્ય ઠાકરેનું કહેવું છે કે રાજ્ય સરકારે આ નિર્ણય રોજગારીની તકો ખડી કરવા માટે લીધો છે. આદિત્ય ઠાકરેનાં આ સૂચનને મંજુરીની મહોર મળતાં જ લોકોએ આ અંગે પોતાના વિચારો રજુ કર્યા.
જાણીતા સ્ટેન્ડ અપ કૉમેડિયન અતુલ ખત્રીએ પોતાના ટ્વીટમાં કંઇક આવા મતલબની વાત કરી હતી કે, "ફાઇનલી મુંબઇ 24x7 " મેક્સિમમ સિટીને આની જ તો જરૂર હતી. આ નવી તકો, બિઝનેસ, રોજગારી અને સલામતી એમ દરેક રીતે મુંબઇ માટે બહુ મોટું પગલું છે. તેણે સાથે અપીલ કરી કે આપણે બધા મુંબઇ કરે એટલી તકેદારી રાખવી કે આ સ્થિતિને આપણે કથળવા ન દઇએ.
ADVERTISEMENT
Finally! #Mumbai24x7
— Atul Khatri (@one_by_two) January 23, 2020
This is something what 'the max city which never sleeps' needed. This is a very big step for Mumbai in terms of opportunity, business, employment & also security.
Let all of us Mumbaikars ensure we don't mess it up.
Thank you @AUThackeray
જો કે રાત્રે દોઢ વાગ્યા પછી શરાબ નહીં મળી શકે વાળા નિયમ અંગે એક ટ્વિટર યુઝરે ટિપ્પણી કરી કે હું રાત્રે બે વાગે વાળ કપાવી શકીશ પણ મને એક ડ્રીંક નહીં મળી શકે, અને જે શરાબ નથી પીતા તેમને આખી રાત ખાવાનું મળી શકશે.
So, I can get a haircut at 2am, go to the bank, but I cannot get a drink. Non-drinkers can get food all night long. #MumbaiNeverSleeps #Mumbai24x7 pic.twitter.com/o9TEJuO7Ir
— Sarita (@ViolentVeggy) January 23, 2020
એક યુઝરે આશિષ શેલારને ટાર્ગેટ કરીને લખ્યું છે કે જ્યારે ગુજરાતમાં ભાજપા સરકારે આવુ જ કંઇક કર્યુ હતું ત્યારે તમે ક્યાં હતા. આશિષ શેલારે આ નિર્ણયનો વિરોધ કર્યો છે માટે આ ટ્વિવટ કરાયું છે.
@ShelarAshish ji where were you when the same 24x7 concept implemented in Gujarat by BJP government???#Mumbai24x7@Dev_Fadnavis@ramkadam@RajKPurohitBJP@BJP4Maharashtra@BJP4Gujarathttps://t.co/lqqrhh0Rb4 pic.twitter.com/JSKY9ZzWZs
— Amit Bhadricha - अमित भाद्रीचा (@AmitBhadricha) January 22, 2020
અન્ય એક યુઝરે નાઇટ લાઇફ સાથે જોડાયેલા સલામતીના જોખમનો મુદ્દો ઉઠાવ્યો હતો અને સાથે ટ્રેઇન્સ, બસીઝ, રિક્ષાઓ, ટ્રાફિક પોલીસ વગેરે પર જે દબાણ આવશે તેની પણ ચિંતા વ્યક્ત કરી હતી.
Nightlife comes with serious security threats and burden on police. The staff in all these 24x7 establishments also have to commute too and fro....pls think about their safety too..
— Deepak Amin (@amind1970) January 21, 2020
Plus the burden on Trains, Buses, autos, police , traffic police, etc. https://t.co/CCxQgktzsZ
જો કે પીડબલ્યુડી મિનિસ્ટર અશોક ચવાણે કહ્યું હતું કે, "આ નિર્ણય અંગે નાઇટલાઇફ શબ્દ વાપરવો યોગ્ય નથી. આ મુંબઇ 24x7 સેવાઓ છે જે શહેરનાં અમુક જ વિસ્તારમાં લાગુ કરાશે. અમે સલામત સ્થળોમાં જ આ લાગુ કરીશું અને પોલીસની વ્યવસ્થાને ગણતરીમાં લઇને જ નિર્ણય કરીશું."