Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > હોબાળાને કારણે RSમાં ન રજૂ થયું ત્રણ તલાક બિલ, સંસદ બુધવાર સુધી સ્થગિત

હોબાળાને કારણે RSમાં ન રજૂ થયું ત્રણ તલાક બિલ, સંસદ બુધવાર સુધી સ્થગિત

31 December, 2018 03:12 PM IST |

હોબાળાને કારણે RSમાં ન રજૂ થયું ત્રણ તલાક બિલ, સંસદ બુધવાર સુધી સ્થગિત

ભાજપ-કોંગ્રેસે જાહેર કર્યું છે વ્હિપ

ભાજપ-કોંગ્રેસે જાહેર કર્યું છે વ્હિપ


રાજ્યસભામાં હોબાળો થવાને કારણે ત્રણ તલાક બિલ આજે રજૂ ન થઈ શક્યું. ત્યારબાદ ડેપ્યુટી સ્પીકરે ગૃહની કાર્યવાહીને બુધવાર સુધી સ્થગિત કરી દીધી. હવે સરકાર શક્યતઃ બુધવારે આ બિલને રાજ્યસભામાં રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે ગયા ગુરૂવારે આ બિલ લોકસભામાં પાસ થઈ ગયું હતું. 

ભાજપ અને કોંગ્રેસે રાજ્યસભાના સાંસદોને ગૃહમાં હાજર રહેવા વ્હિપ જાહેર કર્યું છે. આ મામલે પક્ષની રણનીતિ નક્કી કરવા કોંગ્રેસના સાંસદોની બેઠક પણ યોજાઈ હતી. આજે પણ રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદની ચેમ્બરમાં આજે પણ કોંગ્રેસના સાંસદોની બેઠક યોજાશે.



આ પણ વાંચોઃ રાહુલ ગાંધી વડા પ્રધાન બનવા સર્વગુણ સંપન્ન છેઃ શશિ થરૂર


ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આ સમયે રાજ્યસભામાં હાજર ન રહ્યા. નાયડુના સાસુનું નિધન થવાથી તેમના હાજર રહેવાની શક્યતા ઓછી છે, એટલે રાજ્યસભાનું સંચાલન હરિવંશ સંભાળી શકે છે. ગુરુવારે વિપક્ષના વૉક આઉટ વચ્ચે લોકસભામાં આ બિલ પસાર થઈ ચૂક્યુ છે.


Whatsapp-channel Whatsapp-channel

31 December, 2018 03:12 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK