નવ દિવસ બાદ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા સાડા ચાર લાખને પાર
પ્રતિકાત્મક તસવીર
ભારતમાં નવ દિવસ બાદ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા સાડા ચાર લાખને પાર થઈ છે. હાલ દેશમાં 4,55,555 એક્ટિવ કેસ છે. સરકારી આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 પૉઝિટિવના 43,082 નવા કેસ સામે આવતા દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 93,09,787 થઈ છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 492 લોકોએ જુવ ગુમાવતા કોવિડ-19 વાયરસથી થતા કુલ મૃત્યુની સંખ્યા દેશમાં વધીને 1,35,715 થઈ છે.
?#CoronaVirusUpdates:
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) November 27, 2020
?#COVID19 India Tracker
(As on 27 November, 2020, 08:00 AM)
➡️Confirmed cases: 93,09,787
➡️Recovered: 87,18,517 (93.65%)?
➡️Active cases: 4,55,555 (4.89%)
➡️Deaths: 1,35,715 (1.46%)#IndiaFightsCorona#Unite2FightCorona#StaySafe
Via @MoHFW_INDIA pic.twitter.com/1KU6rfxvkA
ADVERTISEMENT
સૂચિત સમયગાળામાં 39,379 લોકો રિકવર પણ થતા કુલ રિકવર દર્દીઓની સંખ્યા વધીને 87,18,517 થઈ છે. મહારાષ્ટ્રમાં 6,406 નવા કેસ સામે આવ્યા છે, તેમ જ 65 દર્દીઓએ જીવ પણ આ મહામારીથી ગુમાવ્યો છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 46,813 થયો છે. 4,815 દર્દીઓ રિકવર પણ થયા હતા, જેથી શહેરમાં કુલ રિકવર દર્દીઓની સંખ્યા વધીને 16,68,538 થઈ છે. મહારાષ્ટ્રમાં કોરોનાના એક્ટિવ કેસ 85,963 છે.
Today,newly 6406 patients have been tested as positive in the state. Also newly 4815 patients have been cured today. Totally 1668538 patients are cured & discharged from the hospitals Total Active patients are 85963. The patient recovery rate in the state is 92.57%.
— Rajesh Tope (@rajeshtope11) November 26, 2020
મુંબઈમાં 1147 નવા કેસ સામે આવ્યા છે, તેમ જ 15 લોકોએ જીવ ગુમાવ્યા હતા. શહેરમાં કુલ કેસ 2,79,744 અને કોવિડ-19ના લીધે મૃત્યુ થનારા દર્દીઓની સંખ્યા 10,740 છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 1560 નવા કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 16 લોકોના મોત થયા છે. આ સાથે જ કોરોનાથી કુલ મૃત્યુઆંક 3922 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14529 એક્ટિવ કેસ છે, જ્યારે કુલ 185058 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
75.20% of the 492 case fatalities reported in the past 24 hours are concentrated in ten States/UTs.
— Ministry of Health (@MoHFW_INDIA) November 27, 2020
Delhi with 91 deaths reported the maximum new fatalities. Maharashtra saw a fatality count of 65 followed by West Bengal with 52 deaths. pic.twitter.com/PLCNW3xYzc
અમદાવાદ કોર્પોરેશનમાં 337, સુરત કોર્પોરેશનમાં 231, વડોદરા કોર્પોરેશનમાં 140, રાજકોટ કોર્પોરેશનમાં 87, પાટણ 64, સુરત 58, રાજકોટ 51, બનાસકાંઠા 41, મહેસાણા 40, વડોદરા 40, ગાંધીનગર 36, ગાંધીનગર કોર્પોરેશનમાં 34, પંચમહાલ 29,આણંદ 28, ખેડા 28, જામનગર કોર્પોરેશન 27, મહિસાગર 26 કેસ નોંધાયા હતા. તેમ જ ગુજરાતમાં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1302 દર્દી સાજા થયા હતા.