Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > બગદાદમાં પ્રદર્શનકારીઓ પર ગોળીબાર : 15 લોકોનાં મૃત્યુ

બગદાદમાં પ્રદર્શનકારીઓ પર ગોળીબાર : 15 લોકોનાં મૃત્યુ

08 December, 2019 11:23 AM IST | Baghdad

બગદાદમાં પ્રદર્શનકારીઓ પર ગોળીબાર : 15 લોકોનાં મૃત્યુ

બગદાદ

બગદાદ


(જી.એન.એસ.) ઇરાકના બગદાદમાં આવેલા ખિલાની સ્ક્વેરમાં પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરવામાં આવતાં ૧૫ પ્રદર્શનકારીઓનાં મોત નીપજ્યાં છે. ઇરાકના ઑફિસર્સે આ વાત જણાવી છે. અચાનક જ ગોળીબાર થવાથી પ્રદર્શનકારીઓ નજીકના તહરીર સ્ક્વેર અને મસ્જિદો તરફ દોડ્યા હતા. આ હુમલો બગદાદના તહરીર સ્ક્વેરમાં થયેલા હુમલામાં ૧૩ લોકો ઘાયલ થયા હતા, એના એક દિવસ પછી થયો છે. ગુરુવારે સાંજે વિરોધીઓ સ્ક્વેરથી પાછા જતા હતા ત્યારે અચાનક જ ગોળીબાર શરૂ થયો હતો.

ઇરાકમાં ૧ ઑક્ટોબરે વિરોધપ્રદર્શન શરૂ થયું હતું, ત્યારથી ઓછામાં ઓછા ૪૦૦ લોકોનાં મોત નીપજ્યાં છે, કારણ કે હજારો ઇરાકીઓ ભ્રષ્ટાચારને રોકવા માટે રસ્તા પર ઊતર્યા છે અને ૨૦૦૩ના યુ.એસ.ના આક્રમણ બાદ સ્થપાયેલી રાજકીય વ્યવસ્થાને સમાપ્ત કરવાની હાકલ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

08 December, 2019 11:23 AM IST | Baghdad

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK