Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધશે

આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધશે

19 March, 2020 10:57 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધશે

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


કોરોના વાઇરસને મામલે દેશમાં જે રીતે ટેન્શન સતત વધી રહ્યું છે તે જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે, ગુરુવારે સાંજે રાષ્ટ્રને સંબોધવાનો નિર્ણય લીધો છે. સાંજે 8.00 વાગે નરેન્દ્ર મોદી આ સંબોધન કરશે. વડાપ્રધાને કોરોના વાઇરસને લીધે ખડા થયેલા સંજોગોની સમિક્ષા કરવા બેઠક પણ બોલાવી છે. દેશ સામેના આ મોટા પડકારને નાથવા સરકાર શું કરી રહી છે તથા લોકો પાસેથી શી અપેક્ષા રાખે છે તથા કઇ રીતે જનતાએ તાણમાં ન આવવું તે અંગે વડાપ્રધાન સંબોધન કરશે.
કોરોના સામે સરકાર ત્રણ તબક્કામાં લડત આપે છે. સૌથી પહેલાં તો કોરોનાથી પીડિત લોકોને પારખવા. બીજું સંક્રમિત લોકોને તથા તેમના સંપર્કમાં આવેલા લોકોને આઇસોલેશન વોર્ડમાં રાખવા તથા ત્રીજું કે લોકોને મોટી સંખ્યામાં એક જગ્યાએ એકઠા ન થવા દેવા.
મહારાષ્ટ્રમાં દેશનાં સૌથી વધારે કેસ જોવા મળ્યા છે અને આ આંકડો રાજ્યમાં 47એ પહોંચ્યો છે. નોયડામાં તો 144 કલમ લાગુ કરાઇ જ છે પણ હવે રાજસ્થાનમાં પણ 144ની કલમ લાગુ કરાઇ છે.


Whatsapp-channel Whatsapp-channel

19 March, 2020 10:57 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK