ભારતીય રેલવેનો આ નિર્ણય ચીનને આપશે મોટો ઝટકો
પ્રતીકાત્મક તસવીર
ચીન સાથે થયેલા સીમા વિવાદ બાદ ભારતની સરકાર ચીન સાથેના વેપાર પર એક પછી એક પ્રતિબંધ મુકી રહી છે અને આત્મનિર્ભર ભારત પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. એટલે રેલવે તેની ખરીદી પ્રક્રિયામાં ધરેલુ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે પગલાં ભરવાની તૈયારી કરી રહ્યું છે. એટલે આ સંબંધિત નિયમોમાં જોગવાઈ ઉમેરવામાં આવશે, જેથી વધુને વધુ ઘરેલુ વિક્રેતાઓ અને સપ્લાયર્સ રેલવે ખરીદી પ્રક્રિયામાં બીડ લગાવી શકે.
રેલવેએ આજે એક નિવેદનમાં કહ્યું છે કે, ભારત સરકારના આત્મનિર્ભર ભારત મિશનને ગતિ આપવા ભારતીય રેલવે કેટલાંક નિર્ણય લઈ રહી છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (ડીપીઆઇઆઇટી)એ પણ જો જરૂરી હોય તો યોગ્ય નીતિ ફેરફારો માટે મદદ માંગી છે. રેલવેએ જણાવ્યું હતું કે, ખરીદી પ્રક્રિયામાં ઘરેલુ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે આજે એક સમીક્ષા બેઠક કરવામાં આવી હતી. તેમાં ભાર મૂક્યો હતો કે પ્રાપ્તિ પ્રક્રિયામાં સ્થાનિક વિક્રેતાઓની સંડોવણી વધારવી જોઈએ. બેઠકમાં રેલવે પ્રધાન પિયુષ ગોયલે રેલવે અને ભારત સરકારની ખરીદી પ્રક્રિયામાં ઘરેલુ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનાં પગલાંની સમીક્ષા કરી હતી.
ADVERTISEMENT
આજે યોજાયેલી સમીક્ષા બેઠકમાં પિયુષ ગોયલે રેલવે પ્રાપ્તિ પ્રક્રિયાને ભ્રષ્ટાચાર મુક્ત અને પારદર્શક બનાવીને ઉદ્યોગમાં વિશ્વાસ બનાવવાના પગલાં પર ભાર મૂક્યો હતો. રેલ્વેએ નિવેદનમાં જણાવ્યું છે કે, ખરીદીમાં સ્થાનિક સામગ્રીની કલમ એવી રીતે હોવી જોઈએ કે જેનાથી તે સ્થાનિક વિક્રેતાઓ અને સપ્લાયરો પાસેથી વધુ બોલી લગાવે. તેનાથી આત્મનિર્ભર ભારત મિશનને વેગ મળશે.
રેલવેએ જણાવ્યું હતું કે, રેલવેએ સ્થાનિક સપ્લાયર્સને પ્રોત્સાહન આપવું જોઈએ કે જેઓ સારી ગુણવત્તાવાળા ઉત્પાદનોની સપ્લાય કરી શકે. ત્યાં એક સૂચન પણ હતું કે FAQ વિભાગ બનાવવો જોઈએ અને એક હેલ્પલાઇન નંબર બનાવવો જોઈએ જેથી સ્થાનિક વિક્રેતાઓને પ્રાપ્તિ પ્રક્રિયાથી સંબંધિત વિવિધ પાસાઓ વિશે સ્પષ્ટ માહિતી મળી શકે.