ટીકટૉક સ્ટાર પૂજા ચવ્હાણના મૃત્યુના કેસમાં રાજ્યના વન પ્રધાન સુરેશ રાઠોડનું નામ ચર્ચાઈ રહ્યું છે ત્યારે અનેક બધા તેમની શોધ ચલાવી રહ્યા છે, પણ હાલમાં તેઓ ક્યાં છે એની કોઈને ખબર નથી. ત્યારે હવે એક એવા સમચાર વહેતા થયા છે કે ગુરૂવારે તેઓ મિડીયા સામે આવી તેમની બાજુ માંડશે. વાશિમ જિલ્લામાં પહોરા દેવી ગામ છે જ્યાં બંજારા સમાજના સંત સેવાલાલ મહારાજનું મોટુ મંદિર છે. પૂજા ચવ્હાણ અને સંજય રાઠોડ બંને બંજારા સમાજના છે. બંજારા સમાજના ધર્મગુરૂઓ અને મહંતો આ મંદિરમાં રહે છે. ગુરૂવારે ધર્મગુરૂઓની સાક્ષીએ સંજય રાઠોડ તેમની બાજુ રજુ કરશે એવુ હાલ ચર્ચાઇ રહ્યું છે. ભાજપ દ્વારા સંજય રાઠોડનું રાજીનામુ લઇ તેની સામે ઝીંણવટભરી તપાસ કરવામાં આવે એવી માગ સતત કરાઈ રહી છે. ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કહ્યું છે કે પૂજા ચવ્હાણના મોબાઈલ અને લેપટોપ પોલીસે જપ્ત કર્યા છે. એમા શું છે એ પોલીસ જાહેર કરે, નહી તો બે ચાર દિવસમાં એ માહિતી બહાર આવી જ જશે એવી ચીમકી પણ તેમણે આપી હતી. રાજ્યના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે કહ્યું છે કે સંજય રાઠોડ સામે નિયમ મુજબ તપાસ કરાશે. તપાસનો અહેવાલ આવ્યા બાદ રાજ્ય સરકાર એના પર નિર્ણય લેશે.
Women's day:બૉલીવુડ-ડ્રગ્સ અંગે મહિલા ડિટેક્ટિવ આક્રિતી ખત્રીનો ખુલાસો
1st March, 2021 15:46 ISTરાખીની મમ્મીની સારવાર માટે હંમેશાં મદદ કરવાની તત્પરતા દેખાડી સોહેલ ખાને
1st March, 2021 13:42 ISTસપરિવાર સરદાર કા ગ્રૅન્ડ સન જોવાની અપીલ કરી અર્જુન કપૂરે
1st March, 2021 13:37 ISTસનશાઇનનો આનંદ લેતી આલિયા
1st March, 2021 13:10 IST