રેલવેમાં હવે ત્રણ મહિના પહેલાં કરાવી શકાશે ટિકિટ રિઝર્વેશન
૧ જૂનથી ભારતીય રેલવે મુસાફરો માટે ૨૦૦ વધુ ટ્રેનો દોડાવવા જઈ રહ્યું છે. આવામાં દરેકને કન્ફર્મ ટિકિટની ઇચ્છા હોય છે જેથી કરીને મુસાફરીમાં કોઈ તકલીફ પડે નહીં. હવે તમારી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ ટિકિટના એડવાન્સ બુકિંગના નિયમોમાં ફેરફાર કર્યો છે.
ભારતીય રેલવેએ, રેલવે મુસાફરોના હકમાં એક મોટો નિર્ણય લીધો છે. મુસાફરો હવે ૩ મહિના પહેલાં જ પોતાની મુસાફરી માટેની ટિકિટ ઍડ્વાન્સમાં બુક કરાવી શકે છે. તેનાથી ટિકિટ મળવામાં અને મુસાફરીની યોજના બનાવવામાં મદદ મળશે. અત્રે જણાવવાનું કે અત્યાર સુધી તમે ફકત એક મહિના પહેલાં જ એડવાન્સ બુકિંગ કરાવી શકતા હતા. ૩ મહિના અગાઉ ટિકિટ બુક કરાવવાની સાથે રેલવેએ આ ટ્રેનમાં કરન્ટ સીટ બુકિંગ, તત્કાળ કોટા બુકિંગ અને વચ્ચેનાં સ્ટેશનોથી પણ ટિકિટ બુક કરાવવાની સેવાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.