Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રેલવેમાં હવે ત્રણ મહિના પહેલાં કરાવી શકાશે ટિકિટ રિઝર્વેશન

રેલવેમાં હવે ત્રણ મહિના પહેલાં કરાવી શકાશે ટિકિટ રિઝર્વેશન

30 May, 2020 04:29 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રેલવેમાં હવે ત્રણ મહિના પહેલાં કરાવી શકાશે ટિકિટ રિઝર્વેશન

રેલવેમાં હવે ત્રણ મહિના પહેલાં કરાવી શકાશે ટિકિટ રિઝર્વેશન


૧ જૂનથી ભારતીય રેલવે મુસાફરો માટે ૨૦૦ વધુ ટ્રેનો દોડાવવા જઈ રહ્યું છે. આવામાં દરેકને કન્ફર્મ ટિકિટની ઇચ્છા હોય છે જેથી કરીને મુસાફરીમાં કોઈ તકલીફ પડે નહીં. હવે તમારી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ ટિકિટના એડવાન્સ બુકિંગના નિયમોમાં ફેરફાર કર્યો છે.

ભારતીય રેલવેએ, રેલવે મુસાફરોના હકમાં એક મોટો નિર્ણય લીધો છે. મુસાફરો હવે ૩ મહિના પહેલાં જ પોતાની મુસાફરી માટેની ટિકિટ ઍડ્વાન્સમાં બુક કરાવી શકે  છે. તેનાથી ટિકિટ મળવામાં અને મુસાફરીની યોજના બનાવવામાં મદદ મળશે. અત્રે જણાવવાનું કે અત્યાર સુધી તમે ફકત એક મહિના પહેલાં જ એડવાન્સ બુકિંગ કરાવી શકતા હતા. ૩ મહિના અગાઉ ટિકિટ બુક કરાવવાની સાથે રેલવેએ આ ટ્રેનમાં કરન્ટ સીટ બુકિંગ, તત્કાળ કોટા બુકિંગ અને વચ્ચેનાં સ્ટેશનોથી પણ  ટિકિટ બુક કરાવવાની સેવાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.


Whatsapp-channel Whatsapp-channel

30 May, 2020 04:29 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK