Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > તમને કોરોના થયો હોય તો જ આ આઈલૅન્ડમાં જઈ શકશો

તમને કોરોના થયો હોય તો જ આ આઈલૅન્ડમાં જઈ શકશો

03 September, 2020 10:52 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

તમને કોરોના થયો હોય તો જ આ આઈલૅન્ડમાં જઈ શકશો

ફર્નાન્ડો ડી નોરોન્હા આઈલૅન્ડ

ફર્નાન્ડો ડી નોરોન્હા આઈલૅન્ડ


કોરોના મહામારીએ આખા વિશ્વનું ચિત્ર બદલી દીધું છે. ઘરની બહાર નીકળતા જ દરેકને કોવિડ-19નો ભય સતાવે છે. કોરોના ન થાય તે માટે લોકો સાવચેતી રાખે છે પરંતુ એક આઈલૅન્ડ એવુ છે જેમાં પર્યટકો માટે અજબ શરત છે. શરત એ કે જે લોકો કોવિડ-19થી રિકવર થયા હોય તે જ લોકો આ આઈલૅન્ડમાં આવી શકે છે. આમ જેને કોરોના ન થયો હોય તે પણ આ આઈલૅન્ડમાં જઈ શકે નહીં, ફક્ત કોરોનાથી રિકવર થયેલી વ્યક્તિને જ આઈલૅન્ડમાં એન્ટ્રી છે.




ફર્નાન્ડો ડી નોરોન્હા આઈલૅન્ડ બ્રાઝીલમાં છે. છેલ્લા પાંચ મહિનાથી આ આઈલૅન્ડ લોકો માટે બંધ હતું, જોકે હવે મર્યાદિત સંખ્યામાં આ આઈલૅન્ડમાં લોકોને પ્રવેશવા દેવાય છે. અધિકારીઓએ કહ્યું કે, શરતોનું પાલન કરનાર વ્યક્તિ એક સપ્ટેમ્બરથી આ આઈલૅન્ડમાં આવી શકે છે.

શરતો બાબતે વિગતવાર માહિતી આપતા કહ્યું કે, પ્રવાસીઓએ પોતાનો પૉઝિટિવ રિપોર્ટ લાવવાનો રહેશે, જે ઓછામાં ઓછો 20 દિવસ જુનો હોવો જોઈએ. તેમ જ આઈલૅન્ડમાં પર્યાવરણ સંબંધિત ટેક્સ પણ ચૂકવવાનો રહેશે. આ આઈલૅન્ડ નેશનલ મરીન રિઝર્વ તરીકે ઓળખાય છે. આઈલૅન્ડનો સમાવેશ વર્લ્ડ હૅરિટેજ લિસ્ટમાં પણ છે.


Whatsapp-channel Whatsapp-channel

03 September, 2020 10:52 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK