Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શૌચાલયની બારીની જાળી તોડીને પોલીસ-સ્ટેશનમાંથી ચોર ફરાર

શૌચાલયની બારીની જાળી તોડીને પોલીસ-સ્ટેશનમાંથી ચોર ફરાર

26 January, 2021 11:12 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શૌચાલયની બારીની જાળી તોડીને પોલીસ-સ્ટેશનમાંથી ચોર ફરાર

શૌચાલયની બારીની જાળી તોડીને પોલીસ-સ્ટેશનમાંથી ચોર ફરાર


નયાનગર પોલીસ-સ્ટેશનના પહેલા માળે આવેલા શૌચાલયની બારીની જાળી તોડીને એક શાતિર ચોર ફરાર થઈ ગયો છે. આ આશ્ચર્યજનક ઘટના મીરા રોડના નયાનગર પોલીસ-સ્ટેશનમાં ગઈ કાલે સવારે પાંચથી છ વાગ્યા વચ્ચે બની હતી. મલાડના માલવણીમાં રહેતા ૩૦ વર્ષના સમીર શેખ નામના આરોપીની ચોરીના ગુનામાં પોલીસે ધરપકડ કરી હતી. સોમવારે સવારે સાડાપાંચ વાગ્યાની આસપાસ તેણે ટૉઇલેટ જવાનું કહ્યું હતું એથી તેને પોલીસ-સ્ટેશનના પહેલા માળે આવેલા શૌચાલયમાં લઈ જવાયો હતો, જ્યાં તે બારીમાં લગાડેલી જાળી તોડીને પહેલા માળ પરથી કૂદકો મારીને ફરાર થઈ ગયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

26 January, 2021 11:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK