ક્યાં છે કોરોના?
દાદર સ્ટેશનની તસવીર
સુધરાઈએ જાહેર તો કરી દીધું કે મુંબઈ આવનારા તમામ લોકોને ૧૪ દિવસ માટે ક્વૉરન્ટીન કરવામાં આવશે, પરંતુ દાદર રેલવે-સ્ટેશનની ઈસ્ટની હાલત જોતાં એવું સહેજ પણ લાગતું નથી. માત્ર ભીડ જોવા મળે છે, સોશ્યલ ડિસ્ટન્સિંગ નહીં. કોઈ માસ્ક નથી, ટૅક્સીવાળાઓ અગાઉની સ્થિતિ હોય તેમ ગ્રાહકોને બોલાવી રહ્યા છે. જોકે રેલવેનો એવો દાવો છે કે અમે તમામનું સ્ક્રીનિંગ કરીએ છીએ. સાતમી ઑગસ્ટે દાદર સ્ટેશનની તસવીર કંઈક અલગ જ કહે છે.