Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રેલવેમાં ૨૨૫૦૦ કરોડનું રોકાણ આવે એવી સંભાવના

રેલવેમાં ૨૨૫૦૦ કરોડનું રોકાણ આવે એવી સંભાવના

05 January, 2020 11:26 AM IST | Mumbai Desk

રેલવેમાં ૨૨૫૦૦ કરોડનું રોકાણ આવે એવી સંભાવના

રેલવેમાં ૨૨૫૦૦ કરોડનું રોકાણ આવે એવી સંભાવના


ભારતીય રેલવે અને નીતિ આયોગે ખાનગી ઑપરેટરોને ૧૦૦ રેલવે-રૂટ પર ૧૫૦ ટ્રેનનું સંચાલન કરવાની મંજૂરી આપવાને લઈને રોડમૅપ તૈયાર કરી લીધો છે. એને લઈને એક ડિઝાઇન-પેપર પણ લવાયું છે જેમાં જણાવાયું છે કે એનાથી ૨૨,૫૦૦ કરોડ રૂપિયાનું રોકાણ આવી શકે છે.

યાત્રી રેલગાડીઓ શીર્ષકવાળા ડિસ્ક્શન-પેપરમાં કહેવાયું છે કે ૧૦૦ માર્ગોની ઓળખ કરવામાં આવી છે જેના પર ખાનગી કંપનીઓને ૧૫૦ ટ્રેનના સંચાલનની મંજૂરી આપવાથી ૨૨,૫૦૦ કરોડ રૂપિયાનું રોકાણ આવશે. આ રૂટોમાં મુંબઈ સેન્ટ્રલ-નવી દિલ્હી, નવી દિલ્હી-પટણા, અમદાવાદ-પુણે અને દાદર-વડોદરા, ઇન્દોર-ઓખલા, લખનઉ-જમ્મુ તાવી, ચેન્નઈ-ઓખલા, આનંદ વિહાર-ભાગલાપુર, સિંકદરાબાદ-ગુવાહાટી અને હાવડા-આનંદ વિહાર સામેલ છે. આ ૧૦૦ રૂટોને ૧૦-૧૨ જૂથમાં વહેંચાયા છે. દસ્તાવેજ મુજબ, ખાનગી કંપનીઓને પોતાની ટ્રેનમાં બજાર મુજબ ભાડું વસૂલ કરવાની છૂટ હશે.
ખાનગી કંપનીઓ આ ગાડીઓમાં પોતાની સુવિધાના હિસાબે અલગ-અલગ શ્રેણીઓના ડબ્બા લગાવવાની સાથે-સાથે રૂટ પર તેના સ્ટૉપેજવાળાં સ્ટેશનોની પણ પસંદગી કરી શકશે. દસ્તાવેજમાં કહેવાયું છે કે ટ્રેનોના ખાનગીકરણથી આધુનિક ટેક્નૉલૉજી લાવવામાં અને દેખરેખનો ખર્ચ ઓછો કરવામાં મદદ મળશે.
એ ઉપરાંત મુસાફરોને વિશ્વસ્તરીય સુવિધાઓ મળવાની સાથે જ માગ તેમ જ આપૂર્તિની ખાઈને ઓછી કરવામાં પણ મદદ મળશે. આ દસ્તાવેજ મુજબ ટ્રેનોનું સંચાલન કરનારી સંભવિત કંપનીઓ સ્થાનિકની સાથે-સાથે વિદેશી પણ હોઈ શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

05 January, 2020 11:26 AM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK