Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગુરૂવાર સુધી મહારાષ્ટ્રમાં સરકારને લઇને ચિત્ર સ્પષ્ટ થઇ જશે: શિવસેના

ગુરૂવાર સુધી મહારાષ્ટ્રમાં સરકારને લઇને ચિત્ર સ્પષ્ટ થઇ જશે: શિવસેના

20 November, 2019 07:23 PM IST | New Delhi

ગુરૂવાર સુધી મહારાષ્ટ્રમાં સરકારને લઇને ચિત્ર સ્પષ્ટ થઇ જશે: શિવસેના

સંજય રાઉત (PC : ANI)

સંજય રાઉત (PC : ANI)


મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના સંદર્ભમાં એનસીપી અને કોંગ્રેસ વચ્ચે બુધવારે બેઠક યોજાવાની છે. આ પહેલા શિવસેનાના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે મહત્વનું નિવેદન આપ્યુ હતું. તેમણે કહ્યુ હતું કે, આવનારા 5-6 દિવસમાં સરકાર બનાવવાની તમામ કાર્યવાહી પૂર્ણ થઈ જશે. ગઠબંધન અંગે ગુરુવાર બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

PM મોદી સાથે મુલાકાત કરવી એટલે એવું નથી કે કંઇક રંધાઇ રહ્યું છે : રાઉત
NCP અધ્યક્ષ શરદ પવાર અને PM મોદીની મુલાકાત અંગે રાઉતે જણાવ્યુ હતું કે, 'પીએમ સાથેની મુલાકાત કરવી એનો મતલબ એ નથી કે કંઈ રંધાઈ રહ્યુ છે. મહારાષ્ટ્રમાં ખેડુતો અનેક સમસ્યાઓથી ત્રસ્ત છે. શરદ પવાર અને ઉદ્વવ ઠાકરે હંમેશા ખેડુતોની ચિંતા કરે છે.' મહારાષ્ટ્રમાં ખુબ જલ્દીથી લોકપ્રિય અને મજબુત સરકાર બનશે.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

ખેડુતોની સમસ્યા પર અમારા વતી શરદ પવાર વડાપ્રધાનને મળશે : રાઉત
શરદ પવાર અને વડાપ્રધાન મોદી વચ્ચે મુલાકાતની જાણકારી સંજય રાઉતે સોમવારે જ આપી હતી. તેમણે કહ્યુ હતું કે, ખેડુતોની સમસ્યા અંગે અમે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરીશું. અમારા વતી શરદ પવાર વડાપ્રધાનને મળશે.


Whatsapp-channel Whatsapp-channel

20 November, 2019 07:23 PM IST | New Delhi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK