Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રેલવે પ્લૅટફૉર્મ ટિકિટમાં કરાયેલો વધારો કામચલાઉ

રેલવે પ્લૅટફૉર્મ ટિકિટમાં કરાયેલો વધારો કામચલાઉ

06 March, 2021 01:42 PM IST | New Delhi
Agencies

રેલવે પ્લૅટફૉર્મ ટિકિટમાં કરાયેલો વધારો કામચલાઉ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


તાજેતરમાં કેટલાંક સ્ટેશનોમાં પ્લૅટફૉર્મ ટિકિટમાં કરાયેલો વધારો કામચલાઉ છે અને તે પાછળનો હેતુ કોરોના વાઇરસ મહામારી દરમ્યાન ભીડ એકઠી થતી અટકાવવાનો છે, એમ રેલવેએ શુક્રવારે સ્પષ્ટતા કરી હતી.
તાજેતરમાં કેટલાંક સ્ટેશનોમાં પ્લૅટફૉર્મ ટિકિટમાં ૫૦ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. રેલવેએ જણાવ્યું હતું કે ટૂંકી મુસાફરીનાં ભાડામાં કરાયેલા વધારા પાછળનો ઉદ્દેશ પણ મહામારીમાં બિનજરૂરી મુસાફરી અટકાવવાનો છે.
કેટલાંક સ્ટેશનો પર પ્લૅટફૉર્મ ટિકિટમાં કરાયેલો વધારો કોરોના પ્રસરતો અટકાવવા માટેનું ‘કામચલાઉ પગલું’ છે. મુસાફરોની ભારે ભીડ રહેતી હોય તેવાં મર્યાદિત સ્ટેશનો પર આ વધારો લાગુ કરાયો છે. મુંબઈ ડિવિઝનનાં કુલ ૭૮ સ્ટેશનોમાંથી માત્ર સાત સ્ટેશનો પર જ પ્લૅટફૉર્મ ટિકિટમાં વધારો કરવામાં આવ્યો છે, એમ રેલવેએ જણાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

06 March, 2021 01:42 PM IST | New Delhi | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK