Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગોરેગામમાં યુવતીએ ૨૭માં માળેથી મારી મોતની છલાંગ

ગોરેગામમાં યુવતીએ ૨૭માં માળેથી મારી મોતની છલાંગ

22 September, 2019 03:08 PM IST | મુંબઈ
સમીઉલ્લાહ ખાન

ગોરેગામમાં યુવતીએ ૨૭માં માળેથી મારી મોતની છલાંગ

ગોરેગામના આ ઓમકાર ટાવરની ચોંકાવનારી ઘટના

ગોરેગામના આ ઓમકાર ટાવરની ચોંકાવનારી ઘટના


મુંબઈ : ગોરેગામમાં રહેતી ૧૯ વર્ષની યુવતી મુસ્કાન મહાજને ગઈ કાલે બિલ્ડિંગના ૨૭મા માળેથી ઝંપલાવીને કથિત રીતે આત્મહત્યા કરી હતી. દિંડોશી પોલીસે ‘મિડ-ડે’ને આપેલી પ્રાથમિક માહિતી અનુસાર મરનારનું તબીબી પરીક્ષણ કરાવ્યું હતું જેમાં તેને કૅન્સર હોવાનું નિદાન થયું હતું. મુસ્કાને તેનાં માતા-પિતા અને ભાઈને ટેક્સ્ટ મેસેજ દ્વારા આત્મહત્યાનું કારણ જણાવ્યું હતું. પોલીસ અકસ્માત મૃત્યુનો કેસ નોંધી કેસની તપાસ કરી રહી છે. 

ગોરેગામ-ઈસ્ટના સંતોષનગરમાં આવેલા ઓમકાર ટાવરના રહેવાસીઓએ જણાવ્યું હતું કે ઇન્દોરથી આવેલી અને નજીકની કૉલેજમાં અભ્યાસ કરતી મુસ્કાન છેલ્લા એક વર્ષથી ત્રણ મહિલાઓ સાથે આ અપાર્ટમેન્ટમાં રહેતી હતી. પોલીસે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ગઈ કાલે સવારે મુસ્કાન મલાડમાં ડૉક્ટરને મળવા ગઈ હતી, જ્યાં મેડિકલ રિપોર્ટમાં તેને કૅન્સર હોવાની જાણ થઈ હતી.’


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2019 03:08 PM IST | મુંબઈ | સમીઉલ્લાહ ખાન

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK