Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ચાર ભાઈઓ શ્રવણકુમાર બનીને માતાપિતાને કરાવી રહ્યા છે કાવડયાત્રા

ચાર ભાઈઓ શ્રવણકુમાર બનીને માતાપિતાને કરાવી રહ્યા છે કાવડયાત્રા

29 July, 2019 08:16 AM IST | હરિદ્વાર

ચાર ભાઈઓ શ્રવણકુમાર બનીને માતાપિતાને કરાવી રહ્યા છે કાવડયાત્રા

કળિયુગના શ્રવણકુમાર

કળિયુગના શ્રવણકુમાર


 શ્રાવણ મહિનામાં હરિદ્વારથી પાણી ભરીને કાવડ યાત્રા કરનારા શ્રધ્ધાળુઓમાં આ વખતે પાણીપતના ચાર ભાઈઓ ખાસ ચર્ચામાં છે. એનું કારણ એ છે કે તેમણે પોતાના વૃદ્ધ માતાપિતાને કાવડમાં બેસાડીને તીર્થયાત્રા કરાવવાનું શરૂ કર્યું છે. અન્ય કાવડયાત્રીઓની જેમ આ ભાઈઓએ હરિદ્વારથી પાણી લીધું છે અને હવે તેઓ પાણીપત ઘર તરફ જઈ રહ્યા છે. ગયા વર્ષે બે ભાઈઓએ પેરન્ટ્સને લઈને આ યાત્રા કરી હતી, આ વખતે ચારેય ભાઈઓએ સાથે મળીને આ કામ કર્યું છે. વાંસના બનેલા કાવડ પર એક તરફ મા અને બીજી તરફ પિતાને બેસાડેલા છે. ચારેય ભાઈઓ થોડા-થોડા અંતરે કાવડને ખભો આપતા રહે છે. હાલમાં આ પરિવાર ઉત્તર પ્રદેશના શામલી સ્થાને પહોંચ્યો છે. હજી ચાલીને હરિયાણાના પાણીપત સુધી કાવડયાત્રા કરીને તેઓ જશે.

આ પણ વાંચોઃ પત્નીની બર્થડેમાં હસબન્ડે ઍમેઝૉનના પૅકેજ જેવી કેકની સરપ્રાઇઝ આપી


Whatsapp-channel Whatsapp-channel

29 July, 2019 08:16 AM IST | હરિદ્વાર

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK