Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > દીકરી જોઈતી હતી ને દીકરો જન્મ્યો તો તેને ઠંડીમાં રસ્તા પર જ ત્યજી દીધો

દીકરી જોઈતી હતી ને દીકરો જન્મ્યો તો તેને ઠંડીમાં રસ્તા પર જ ત્યજી દીધો

14 January, 2020 09:16 AM IST | Surat

દીકરી જોઈતી હતી ને દીકરો જન્મ્યો તો તેને ઠંડીમાં રસ્તા પર જ ત્યજી દીધો

દીકરી જોઈતી હતી ને દીકરો જન્મ્યો તો તેને ઠંડીમાં રસ્તા પર જ ત્યજી દીધો


અત્યાર સુધી આપણે એવું સાંભળતા આવ્યા છીએ કે પુત્રની લાલસામાં લોકો પુત્રીને ત્યજીને જતા રહે છે, પણ સુરતમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં માતા-પિતાએ પુત્રીની લાલસામાં પુત્રને તરછોડી દીધો હતો. આમ તો આ ઘટના દુખદ કહેવાય. કતાર ગામના સિંગણપોર વિસ્તારમાં વણજારા વાસ નજીક તાપી નદીના કિનારે ઝાડીમાં દીકરાને ત્યજી દેવામાં આવ્યો હતો. નવજાત દીકરાને ત્યજી દેનારાં માતા-પિતાની પોલીસે ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં કતાર ગામના સિંગણપોર વિસ્તારમાં વણજારા વાસ નજીક તાપી નદીના કિનારે ઝાડીમાં ગઈ ૬ ડિસેમ્બરે એક નવજાત બાળકને કડકડતી ઠંડીમાં મરવા માટે તરછોડી દેવાયું હતું. એ બાળકને તાપી નદીની પાળ પર બેસવા ગયેલા યુવાનો પૈકી જેસીબીના ઑપરેટર અને મૅનેજમેન્ટનું કામ કરતા અજય વણજારા નામના યુવાને શર્ટ કાઢીને બાળકને ઓઢાડી દીધું હતું. ત્યાર બાદ આ બાળકને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી અને ત્યજી દેનારાં માતા-પિતાની શોધખોળ હાથ ધરી હતી. પોલીસતપાસમાં આ બાળક વણજારા વાસમાં રહેતા ટ્રક-ડાઇવર મંગુભાઈ નરસિંહ વણજારા અને ગંગાબહેનનું હોવાની વિગત સામે આવતાં પોલીસે દંપતીની પૂછપરછ કરીને ધરપકડ કરી હતી. આ દંપતીએ કબૂલાત કરી હતી કે લગ્નજીવન દરમ્યાન ત્રણ સંતાનોમાં ત્રણેય પુત્રો છે. પુત્રી જન્મશે એવી આશા હતી, પરંતુ દીકરો જનમતાં અમે તેને ત્યજી દીધો હતો.


Whatsapp-channel Whatsapp-channel

14 January, 2020 09:16 AM IST | Surat

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK