સીઆરપીએફના જવાને સિનિયરને ગોળી મારી પોતે આપઘાત કરી લીધો
પ્રતીકાત્મક તસવીર
પાટનગર નવી દિલ્હીના તઘલખ રોડ પર લોધી એેસ્ટેટમાં કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહના બંગલા નંબર ૬૧ પાસે સીઆરપીએફના ઉશ્કેરાયેલા એક જવાને પોતાના ઉપરીને ગોળી મારીને ઠાર કર્યો હતો. ત્યાર બાદ તેણે પોતે પણ આત્મહત્યા કરી હતી. ગોળી મારનાર જવાન સબ-ઇન્સ્પેક્ટર કક્ષાનો હોવાની જાણકારી મળી હતી.
ઇન્સ્પેક્ટર પોતાની રૂમમાં જમી રહ્યો હતો ત્યારે ત્યાં જઈને સબ-ઇન્સ્પેક્ટરે તેમને ગોળી મારી દીધી હતી. ત્યાર બાદ પોતે ગાર્ડ રૂમ પાસે ગયો હતો અને ત્યાં પોતાને ગોળી મારી હતી. બન્ને ઑફિસર મરણ પામ્યા હતા. સબ-ઇન્સ્પેક્ટર જમ્મુ-કાશ્મીરનો રહેવાસી હતો અને ઇન્સ્પેક્ટર હરિયાણાનો હતો. બન્ને બંગલા નંબર ૬૧ પર ફરજ બજાવતા હતા અને બંગલાના ગાર્ડ ક્વૉર્ટરમાં સાથે રહેતા હતા.