Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સીઆરપીએફના જવાને સિનિયરને ગોળી મારી પોતે આપઘાત કરી લીધો

સીઆરપીએફના જવાને સિનિયરને ગોળી મારી પોતે આપઘાત કરી લીધો

26 July, 2020 12:55 PM IST | Mumbai Desk
Agencies

સીઆરપીએફના જવાને સિનિયરને ગોળી મારી પોતે આપઘાત કરી લીધો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પાટનગર નવી દિલ્હીના તઘલખ રોડ પર લોધી એેસ્ટેટમાં કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહના બંગલા નંબર ૬૧ પાસે સીઆરપીએફના ઉશ્કેરાયેલા એક જવાને પોતાના ઉપરીને ગોળી મારીને ઠાર કર્યો હતો. ત્યાર બાદ તેણે પોતે પણ આત્મહત્યા કરી હતી. ગોળી મારનાર જવાન સબ-ઇન્સ્પેક્ટર કક્ષાનો હોવાની જાણકારી મળી હતી.
ઇન્સ્પેક્ટર પોતાની રૂમમાં જમી રહ્યો હતો ત્યારે ત્યાં જઈને સબ-ઇન્સ્પેક્ટરે તેમને ગોળી મારી દીધી હતી. ત્યાર બાદ પોતે ગાર્ડ રૂમ પાસે ગયો હતો અને ત્યાં પોતાને ગોળી મારી હતી. બન્ને ઑફિસર મરણ પામ્યા હતા. સબ-ઇન્સ્પેક્ટર જમ્મુ-કાશ્મીરનો રહેવાસી હતો અને ઇન્સ્પેક્ટર હરિયાણાનો હતો. બન્ને બંગલા નંબર ૬૧ પર ફરજ બજાવતા હતા અને બંગલાના ગાર્ડ ક્વૉર્ટરમાં સાથે રહેતા હતા.


Whatsapp-channel Whatsapp-channel

26 July, 2020 12:55 PM IST | Mumbai Desk | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK