Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સીઆઈએફએસના જવાનો હવે પ્લાઝમા ડોનેટ કરશે

સીઆઈએફએસના જવાનો હવે પ્લાઝમા ડોનેટ કરશે

06 July, 2020 11:23 AM IST | Mumbai Desk
Vishal Singh

સીઆઈએફએસના જવાનો હવે પ્લાઝમા ડોનેટ કરશે

મુંબઈમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સીઆઈએસએફ સ્થાનિક પોલીસને મદદ કરી રહી છે. તસવીર આશિષ રાજે

મુંબઈમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સીઆઈએસએફ સ્થાનિક પોલીસને મદદ કરી રહી છે. તસવીર આશિષ રાજે


મુંબઇમાં, સીઆઈએસએફના ૯૦ જવાનોનું કોવિડ -19 પોઝિટિવનું પરીક્ષણ કરાયું, જેમાંથી ૭૮ સ્વસ્થ થયા, જ્યારે ૧૨ હજુ સારવાર હેઠળ છે. જવાન અને અધિકારીઓ મળીને મુંબઈમાં સીઆઈએસએફના લગભગ ૪૫૦૦ જવાનો છે. જેઓ એરપોર્ટ જેવા હાઇ-રિસ્ક ઝોનમાં કામ કરે છે.
સીઆઈએસએફના એક અધિકારીના જણાવ્યા અનુસાર, “અમે એક હોસ્પિટલ સાથે પ્લાઝ્મા ડોનેટ કરવા અંગે વાતચીત કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં આ માટે તેની સાથે જોડાણ કરીશું. અમે એરપોર્ટની સુરક્ષા માટે તહેનાત છીએ અને લોકોની સુરક્ષા કરવામાં રોકાયેલા છીએ અને હવે અમે પ્લાઝમા ડોનેટ કરીને કોવિડ-19થી સંક્રમિત લોકોને બચાવવામાં મદદ કરીશું.
સીઆઈએસએફ અનુસાર, ફરજ પરના તેના તમામ કર્મચારીઓને એન 95 માસ્ક, હેન્ડ સેનિટાઇસર્સ, ગ્લોવ્સ અને ફેસ શિલ્ડ આપવામાં આવ્યા હતા, તેમ જ તેમને પણ સોશ્યલ ડિસ્ટન્સિંગના ધોરણોના પાલન વિશે શીખવવામાં આવતું હતું.
સીઆઈએસએફના ડીઆઈજી, કે એન ત્રિપાઠીએ મિડ-ડેને કહ્યું, “અમારા ઓછામાં ઓછા ૧૨ જવાન હજી પણ કોવિડ -19 સામે લડી રહ્યા છે, પરંતુ બધા સ્વસ્થ છે. અમે પ્લાઝ્મા દાન આપવાની યોજના બનાવી રહ્યા છીએ અને ટૂંક સમયમાં આ માટે હોસ્પિટલ સાથે જોડાણ કરીશું."


Whatsapp-channel Whatsapp-channel

06 July, 2020 11:23 AM IST | Mumbai Desk | Vishal Singh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK