Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બિહારમાં ભયાનક પૂર : ૧૦ લાખ લોકો પર સંકટ

બિહારમાં ભયાનક પૂર : ૧૦ લાખ લોકો પર સંકટ

26 July, 2020 12:41 PM IST | Mumbai Desk
Agencies

બિહારમાં ભયાનક પૂર : ૧૦ લાખ લોકો પર સંકટ

વરસાદી આફત : બિહારમાં ઘણાં દિવસોથી એકધારો વરસાદ પડી રહ્યો છે અને તેને કારણે રાજ્યના દસ જિલ્લામાંના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. દરભંગામાં પોલીસ સ્ટેશનમાં ભરાઇ ગયેલાં પાણી વચ્ચે બેઠેલા પોલીસો. તસવીર : પી.ટી.આઈ.

વરસાદી આફત : બિહારમાં ઘણાં દિવસોથી એકધારો વરસાદ પડી રહ્યો છે અને તેને કારણે રાજ્યના દસ જિલ્લામાંના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. દરભંગામાં પોલીસ સ્ટેશનમાં ભરાઇ ગયેલાં પાણી વચ્ચે બેઠેલા પોલીસો. તસવીર : પી.ટી.આઈ.


બિહારમાં ગંડક, બાગમતી અને અધવારા નદીઓ જોખમી સપાટીએ વહી રહી હોવાથી બિહારના ૧૦ જિલ્લાના ૧૦ લાખથી વધુ લોકો પૂરના સંકજામાં છે. શનિવારે ગોપાલગંજ જિલ્લાના બૈકુંઠપુર વિસ્તારમાં સારણ બંધ બે જગ્યાએથી તૂટ્યો છે. એના લીધે સારણ જિલ્લાના તરૈયા, મશરખ અને પાનાપુરમાં પૂરનું જોખમ વધી ગયું છે. ગોપાલગંજના બૈકુંઠપુરમાં બે જગ્યાએ જમીંદારી બંધ તૂટ્યો છે. આ પહેલાં શુક્રવારે ગોપાલગંજમાં ગંડક નદી પર બનાવાયેલો સારણ બંધ તૂટ્યો હતો.
સતત પડી રહેલા વરસાદ અને જિલ્લામાં વહેતી વિવિધ નદીઓના જળસ્તરમાં વધારો થવાથી જિલ્લામાં પૂરની સ્થિતિ ગંભીર બની રહી છે. દરભંગા સમસ્તીપુર રેલખંડ પર હાયાઘાટ અને થલવાડા વચ્ચે બનેલા પુલ પાસે નદીનું પાણી પહોંચી ગયું છે. ત્યાર પછી રેલખંડ પર ટ્રેનોની અવરજવર આગામી આદેશ સુધી અટકાવી દેવાઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

26 July, 2020 12:41 PM IST | Mumbai Desk | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK