Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > કરાચી : પાકિસ્તાનમાં ભડક્યું શિયા-વિરોધી આંદોલન

કરાચી : પાકિસ્તાનમાં ભડક્યું શિયા-વિરોધી આંદોલન

13 September, 2020 09:39 AM IST | Karachi
Agency

કરાચી : પાકિસ્તાનમાં ભડક્યું શિયા-વિરોધી આંદોલન

ગઈ કાલે પાકિસ્તાનના કરાચી શહેરમાં નીકળેલી શિયા-વિરોધી રેલીમાં ઊમટેલી ભીડ, જેમાં સુન્ની મુસ્લિમોએ ભારે સૂત્રોચ્ચાર પણ કર્યો હતો. તસવીર : એ.એફ.પી.

ગઈ કાલે પાકિસ્તાનના કરાચી શહેરમાં નીકળેલી શિયા-વિરોધી રેલીમાં ઊમટેલી ભીડ, જેમાં સુન્ની મુસ્લિમોએ ભારે સૂત્રોચ્ચાર પણ કર્યો હતો. તસવીર : એ.એફ.પી.


કરાચીમાં શુક્રવારે શિયા-વિરોધી દેખાવોમાં હજ્જારો લોકો માર્ગો પર ઊતરી આવ્યા હતા, જેને પગલે પાકિસ્તાનમાં મોટા પાયે સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળવાનો ભય સેવાઈ રહ્યો છે.

પાકિસ્તાનનું સોશ્યલ મીડિયા આ વિરોધ-પ્રદર્શનનાં પોસ્ટ્સ, ફોટોગ્રાફ અને વિડિયોથી છલકાઈ ઊઠ્યું હતું, જેમાં હજ્જારોની સંખ્યામાં માનવમેદની ‘શિયા કાફિર છે’ બોલતી અને વર્ષોથી શિયાઓને રહેંસી રહેલા આતંકવાદી સંગઠન સિપાહ-એ-સહાબા પાકિસ્તાનનાં બેનરો દર્શાવતું જોઈ શકાય છે.



માધ્યમોના અહેવાલ અનુસાર દેશના કેટલાક અગ્રણી શિયા નેતાઓએ ગયા મહિને અશુરા જુલુસના ટેલિવાઇઝ્ડ પ્રસારણમાં ઇસ્લામ વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી કરી, એને પગલે આ વિરોધ-પ્રદર્શનો યોજાયાં હતાં.


ઈસવી સન ૬૮૦માં પ્રોફેટ મુહમ્મદના પૌત્ર હુસ્સૈન અને તેમના અનુયાયીઓએ કરબલાના યુદ્ધમાં શહીદી વહોરી, એની સ્મૃતિરૂપે અશુરા મનાવવામાં આવે છે.

મોહરમ શરૂ થાય, ત્યારથી જ ઘણા શિયા અનુયાયીઓને ધાર્મિક ગ્રંથોનું પઠન કરવા બદલ અને અશુરામાં ભાગ લેવા બદલ નિશાન બનાવવામાં આવે છે. જ્યારે આપણાં ભાઈઓ-બહેનોને તેમની માન્યતાને કારણે મારી નાખવામાં આવતાં હોય, તેમનું અપહરણ કરવામાં આવતું હોય, એવા સમયે આવા વિરોધ-પ્રદર્શનને હળવાશથી ન લેવું જોઈએ, એવી ટિપ્પણી આફ્રીન નામના ઍક્ટિવિસ્ટે કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

13 September, 2020 09:39 AM IST | Karachi | Agency

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK