Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > તનુશ્રી દત્તાના વકીલ સામે જાતીય સતામણીનો કેસ

તનુશ્રી દત્તાના વકીલ સામે જાતીય સતામણીનો કેસ

04 January, 2020 02:37 PM IST | Mumbai

તનુશ્રી દત્તાના વકીલ સામે જાતીય સતામણીનો કેસ

નીતિન સાતપુતે

નીતિન સાતપુતે


એક મહિલા વિરુદ્ધ અભદ્ર ભાષાનો પ્રયોગ કરવા બદલ અભિનેત્રી તનુશ્રી દત્તાના વકીલ નીતિન સાતપુતે વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ દાખલ કરવામાં આવ્યો હોવાની માહિતી પોલીસે શુક્રવારે આપી હતી.

સાતપુતે તનુશ્રી દત્તાએ નાના પાટેકર વિરુદ્ધ કરેલા ઉત્પીડનના કેસમાં દત્તાના વકીલ છે.



૪૭ વર્ષીય પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે સાતપુતેએ પીડિતાના ચારિત્ર્ય પર કાદવ ઉછાળવાના આશયથી તેની વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો.


ખેરવાડી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલી ફરિયાદમાં પીડિતાએ જણાવ્યું હતું કે બાળકો માટેનો બગીચો બાંધવા મામલે તેને બીજી નવેમ્બરના રોજ સાતપુતે સાથે બોલાચાલી થઈ હતી. સાતપુતેએ પીડિતાને ફોન કર્યો હતો અને તેને ગાળો આપી હતી, જેને પગલે પીડિતાએ ફરિયાદ નોંધાવી હતી.

ત્યાર બાદ પીડિતાને સોમવારે કમિશન ખાતે એક મીટિંગ માટે બોલાવાઈ હતી અને ઑફિસમાંથી બહાર નીકળતી વખતે સાતપુતે તેની નજીક આવ્યો હતો અને અભદ્ર ભાષાપ્રયોગ કર્યો હતો એમ અધિકારીએ જણાવ્યું હતું.


પોલીસે ગુરુવારે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૫૪-એ (૧) (૪) અને ૫૦૯ હેઠળ ગુનો નોંધ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

04 January, 2020 02:37 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK