તામિલનાડુમાં હાથી પર સળગતું કપડું ફેંકાતાં અંતે એ મોતને ભેટ્યો
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય: જાગરણ)
છેલ્લા થોડા સમયથી માણસમાં રહેલી પશુતા જુદી-જુદી રીતે બહાર આવતી જોવા મળી છે. તાજેતરમાં તામિલનાડુના નીલગિરિ જિલ્લામાં એક હાથી પર કોઈ પૂર્વ ઉશ્કેરણી વિના સળગતું કપડું નાખવામાં આવ્યું હતું.
હાથી ખરાબ રીતે દાઝ્યો હતો અને રિબાઈ-રિબાઈને મૃત્યુ પામ્યો હતો. તામિલનાડુના વન ખાતાના અધિકારીઓએ કહ્યું કે કદાચ ભૂખ લાગી હોવાના કારણે હાથી એક રિસૉર્ટમાં પ્રવેશ્યો હતો. એને હાંકી કાઢવા માટે એના પર સળગતું કપડું નાખવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
આ ઘટનાની વિડિયો ક્લીપ સોશ્યલ મીડિયા પર વન વિભાગે મૂકી હતી, જે વાઇરલ થઈ હતી. પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા મનાતા બે જણની ધરપકડ કરી હતી. આ ઘટના શુક્રવાર ૨૨ જાન્યુઆરીએ બની હતી એમ પોલીસે કહ્યું હતું.