Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ પૉલીસને ‘મીડિયા ટ્રાયલ’થી કોણ બચાવી રહ્યું છે?

મુંબઈ પૉલીસને ‘મીડિયા ટ્રાયલ’થી કોણ બચાવી રહ્યું છે?

03 September, 2020 06:43 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મુંબઈ પૉલીસને ‘મીડિયા ટ્રાયલ’થી કોણ બચાવી રહ્યું છે?

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


સુશાંત સિંહ રાજપૂત કેસમાં મુંબઈ પોલીસ ઉપર ઘણા સવાલ ઉભા થયા છે. સીબીઆઈએ આ કેસ હાથમાં લેતા મુંબઈ પોલીસની પ્રતિષ્ઠા ઉપર સવાલ ઉભો થયો છે. એવામાં આઠ રિટાયર્ડ IPS ઓફિસર્સ મુંબઈ મુંબઈ પોલીસને ‘મીડિયા ટ્રાયલ’થી બચાવી રહ્યા હોવાનું જણાય છે.

મહારાષ્ટ્ર પોલીસમાં ટોચનું સ્થાન ધરાવનારા આઠ પૂર્વ અધિકારીઓએ બોમ્બે હાઈ કોર્ટમાં જનહિત અરજી (PIL) કરી છે, જેમાં મીડિયા દ્વારા ચાલતા ખોટા અને દ્વેષપૂર્ણ કેમ્પેઈનને રોકવા માટે આદેશ આપે એવી વિનંતી કરી છે.



અરજીકર્તાઓમાં એમ.એન.સિંહ, પી.એસ.પાશ્રીચા, ડી.એન.જાધવ, ડી.શિવાનંદન, સંજીવ દયાલ, કે.સુબ્રમણ્યમ, એસ.સી.માથુર અને કે.પી.રઘુવંશીનો સમાવેશ છે. નિવૃત્ત થતા પહેલા આ આઠેય ડિરેક્ટર્સ-જનરલ લેવલના અધિકારીઓ હતા.


PILમાં જણાવવામાં આવ્યું છે કે, ટીવી ચેનલ્સનું એક સેક્શન પાયાવિહોણા રિપોર્ટિંગ કરીને ખોટો પ્રચાર કરી રહ્યા છે. આથી મુંબઈ પોલીસ, હૅલ્થ સર્વિસીસ અને રાજ્યની અન્ય સપોર્ટિંગ સર્વિસીસ ઉપર નાગરિકોને શંકા નિર્માણ થઈ છે.

આ જનહિત અરજી બેયલી એન્ડ કંપનીઝના સિનિયર એડવોકેટ મિલીંદ સાઠેના માધ્યમે થઈ છે. આ અરજીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો, પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિયેશનનો સમાવેશ છે. ઉપરાંત અરજીકર્તાઓએ વિનંતી કરી છે કે મીડિયા હાઉસ માટે ગાઈડલાઈન બનાવવી જોઈએ જેથી ખોટા સમાચારો પબ્લિશ ન થાય. મુંબઈ પોલીસે વર્ષોથી પોતાની પ્રતિષ્ઠા જાળવી રાખી છે. લોકશાહીમાં અમે પ્રેસની સ્વતંત્રતાને ટેકો આપીએ છીએ. પરંતુ મીડિયા રિપોર્ટિંગ ખાસ કરીને ટીવી ચેનલ્સ માટે એક ગાઈડલાઈનની જરૂર છે.


દરમ્યાન મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે આ જનહિત અરજી ઉપર નિવેદન આપ્યું કે, મહારાષ્ટ્ર અને મુંબઈ પોલીસની પ્રતિષ્ઠા છે. તેમની સરખામણી સ્કૉટલૅન્ડ યાર્ડ સાથે થાય છે. સુશાંતના કેસમાં જે રીતે મુંબઈ પોલીસને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે તેને જોતા હું PILને આવકારું છું.

આવા પ્રકારની પીઆઈએલ પહેલા પણ આવી છે. બોમ્બે હાઈ કોર્ટે આદેશ આપતા કહ્યું કે, ‘અમે મીડિયાને વિનંતી કરીએ છીએ અને અપેક્ષા રાખીએ છીએ કે બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડેવલપમેન્ટના રિપોર્ટિંગમાં તેઓ નિયંત્રણમાં કરે. ચાલુ તપાસ ઉપર પ્રતિકૂળ અસર પડે તેવી રીતે રિપોર્ટિંગ કરવું નહીં.’ જસ્ટીસ એ એ સૈયદ અને એસ પી તાવડેએ આ આદેશ આપ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

03 September, 2020 06:43 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK