Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સુરતઃનિરવ મોદીની મિલકતો લેવાઈ શકે છે ટાંચમાં

સુરતઃનિરવ મોદીની મિલકતો લેવાઈ શકે છે ટાંચમાં

29 April, 2019 11:57 AM IST | સુરત

સુરતઃનિરવ મોદીની મિલકતો લેવાઈ શકે છે ટાંચમાં

નિરવ મોદી (ફાઈલ ફોટો)

નિરવ મોદી (ફાઈલ ફોટો)


પંજાબ નેશનલ બેન્કના કૌભાંડી નીરવ મોદીની ગુજરાતમાંની સંપત્તિઓ ટાંચમાં લેવામાં આવશે. સુરતની ચીફ કોર્ટમાં આજે આ કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે. પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના મુખ્ય આરોપી નિરવ મોદી સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ લાંબા સમયથી કાર્યવાહી કરી રહ્યું છે.

અત્યાર સુધઈ ઈડી નિરવ મોદીની આશરે 657 કરોડની સંપત્તિ જપ્ત કરી રહ્યું છે. જેમાં જ્વેલરી, બેન્ક અકાઉન્ટ સહિતની સંપત્તિ સામેલ છે. તો ઓવરવેલુંસન કૌભાંડ મામલે DRE દ્વારા સુરતની કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. કરોડોની ડ્યુટી ચોરી મામલે ફરિયાદ બાદ નિરવ મોદી સામે ધરપકડ વોરંટ ઈસ્યુ થયું હતું.



આ પણ વાંચોઃ ટૂંક સમયમાં નીરવ મોદીની 11 લક્ઝુરિયસ કારની હરાજી થશે


ઉલ્લેખનીય છે કે પંજાબ નેશનલ બેન્કમાં 13 હજાર 500 કરોડનું કૌભાંડ આચરીને નિરવ મોદી વિદેશ ભાગી ચૂક્યો છે. હાલ નિરવ મોદી લંડનમાં કેદ છે. લંડનન વેસ્ટમિન્સ્ટર કોર્ટે તેને જામીન આપવાનો ઈનકાર કર્યો છે. ઓગસ્ટ 2017માં નિરવ મોદીને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો હતો. અને માર્ચ મહિનામાં જ લંડનમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. તે બાદ કોર્ટે ત્રણ વખત તેની જામીન અરજી ફગાવી છે.


Whatsapp-channel Whatsapp-channel

29 April, 2019 11:57 AM IST | સુરત

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK