સુરતઃનારી સંરક્ષણ ગૃહમાં યુવતીનો આપઘાત
સુરતનું નારી સંરક્ષણ ગૃહ
સુરતના નારી સંરક્ષણ ગૃહમાં યુવતીના આપઘાતથી ચકચાર મચી છે. નારી સંરક્ષણ ગૃહમાં બે દિવસ પહેલા જ આવેલી યુવતીએ આત્મહત્યા કરતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે મૃતક યુવતી સુરતના કતારગામની વતની હતી. 23 વર્ષની યુવતીનું નામ અંકિતા હતું. અંકિતા કેટલાક દિવસો પહેલા જ એક યુવક સાથે ભાગી ગઈ હતી. અંકિતા જેની સાથે ભાગી ગઈ હતી તે યુવકનું નામ ભાવેશ ગોહિલ હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અંગે અંકિતાના પિતાએ પોલીસ ફરિયાદ પણ દાખલ કરી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સુરત: BJPના વિધાનસભ્ય મુકેશ પટેલ ખોવાયા છે
બાદમાં પોલીસે કાયદાકીય કાર્યવાહી કરતા અંકિતાને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપી હતી. જો કે નારી સંરક્ષણ ગૃહમાં બે દિવસ બાદ અંકિતાએ આપઘાત કરતા ચકચાર મચી છે. પોલીસને આ કેસાં હજી સુધી કોઈ સ્યુસાઈડ નોટ પણ નથી મળી આવી.