Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સુરતના એક જ પરિવારના પાંચ સભ્યોનાં રહસ્યમય મોત : હત્યા કે આત્મહત્યા?

સુરતના એક જ પરિવારના પાંચ સભ્યોનાં રહસ્યમય મોત : હત્યા કે આત્મહત્યા?

18 March, 2019 09:20 AM IST | સુરત
રશ્મિન શાહ

સુરતના એક જ પરિવારના પાંચ સભ્યોનાં રહસ્યમય મોત : હત્યા કે આત્મહત્યા?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગઈ કાલે સુરત જિલ્લાના બારડોલી પાસે આવેલી મઢી કૅનલમાંથી મારુતિ સુઝુકીની ઇકો કાર મળી હતી જેમાં એક જ પરિવારના પાંચ સભ્યોના મૃતદેહ પણ મળ્યા હતા. પ્રાથમિક દૃષ્ટિએ કાર સાથે ડૂબી જવાથી મોત થયાનું તારણ નીકળતું હતું પણ તપાસ કરતાં ખબર પડી કે કારમાં જે ફૅમિલી છે એ સુરત પાસે આવેલા વ્યારા ગામના ધર્મેશ ગામિતનો પરિવાર હતો અને ધર્મેશભાઈ છેલ્લા સોળ દિવસથી ચાર વર્ષની દીકરી, વાઇફ અને મમ્મી-પપ્પા સાથે ગાયબ છે. પોલીસ અત્યારે બે થિયરી પર કામ કરે છે.

આ પણ વાંચોઃ અમદાવાદ:ઘટલોડિયાની કેલોરેક્સ સ્કૂલમાં ફી મુદ્દે ફરી વિવાદ, વિદ્યાર્થીઓના પરિણામો અટકાવ્યા



એક અનુમાન એવું બાંધવામાં આવે છે કે કારની બ્રેક ફેલ થઈ જવાથી કાર ડૂબી ગઈ હશે અને આ એક આકસ્મિક મોત હશે. ઉઘરાણીવાળાઓની ધમકીઓને ધ્યાનમાં રાખીને બીજી થિયરીમાં ધર્મેશભાઈએ સામૂહિક સુસાઇડ કર્યું હોઈ શકે તો એ દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

18 March, 2019 09:20 AM IST | સુરત | રશ્મિન શાહ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK