Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સુરતઃઘોડદોડ પર આવેલા ત્રણ મોટાં કૉમ્પ્લેક્સ ફાયર સેફ્ટીના અભાવે સીલ

સુરતઃઘોડદોડ પર આવેલા ત્રણ મોટાં કૉમ્પ્લેક્સ ફાયર સેફ્ટીના અભાવે સીલ

05 December, 2019 08:51 AM IST | Surat

સુરતઃઘોડદોડ પર આવેલા ત્રણ મોટાં કૉમ્પ્લેક્સ ફાયર સેફ્ટીના અભાવે સીલ

સુરતમાં ફાયર સેફ્ટી બિલ્ડિંગ

સુરતમાં ફાયર સેફ્ટી બિલ્ડિંગ


તક્ષશિલા અગ્નિકાંડ બાદ છેલ્લા ૬ મહિનાથી ફાયર સેફ્ટીના અભાવના કારણે ફાયર વિભાગ દ્વારા નોટિસ આપી સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં મોડી રાતથી સવાર સુધીમાં ફાયર વિભાગે ત્રણ મોટા કૉમ્પ્લેક્સ ઘોડદોડ પર આવેલા જૅલી, દિલ્હી ગેટ નજીક આવેલા બેલ્જિયમ સ્ક્વેર અને વેસુમાં આવેલા શિવ કાર્તિક ઇક્વલેવને ફાયર સેફ્ટીના અભાવના કારણે સીલ મારવામાં આવ્યાં છે.
તક્ષશિલા અગ્નિકાંડ બાદ છેલ્લા ૬ મહિનામાં પાલિકા દ્વારા કૉમ્પ્લેક્સ, હૉસ્પિટલ, હોટેલ-રેસ્ટોરન્ટ, ટ્યુશન ક્લાસિસ, સ્કૂલ-કૉલેજ, ટેક્સટાઇલ માર્કેટો સહિતની ઇમારતોમાં ફાયર સેફ્ટીના અભાવના કારણે સીલ મારવામાં આવ્યાં છે. એમાં મોડી રાતથી ફાયર વિભાગ દ્વારા ૬ ટ્યુશન ક્લાસ, બે પ્લે સ્કૂલ, બે ક્લિનિકને સીલ મારી દેવામાં આવ્યાં છે, જ્યારે ત્રણ મોટા કૉમ્પ્લેક્સ ઘોડદોડ પર આવેલા જૅલી, દિલ્હી ગેટ નજીક આવેલા બેલ્જિયમ સ્ક્વેર અને વેસુમાં આવેલા શિવ કાર્તિક ઈક્વલેવને ફાયર સેફ્ટીના અભાવના કારણે સીલ મારવામાં આવ્યાં છે. ફાયર વિભાગ દ્વારા કુલ ૫૮૯ દુકાનોને સીલ મારવામાં આવ્યું છે.
તક્ષશિલા અગ્નિકાંડ બાદ છેલ્લા ૬ મહિનામાં પાલિકા દ્વારા ૮૧૨૮ ઇમારતોમાં સર્વે કરી ૯૦૦થી વધુ ઇમારતની ૨૦ હજારથી વધુ દુકાનો સીલ કરવામાં આવી હતી. પાલિકા દ્વારા સર્વે કરી ફાયર સેફ્ટીના અભાવના કારણે નોટિસ આપવામાં આવી હતી. જોકે ફાયર સેફ્ટી ઊભી ન કરવામાં ન આવતાં સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

05 December, 2019 08:51 AM IST | Surat

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK