Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ટાયર ફાટતાં પુરપાટ જતી જીપ પલટી, બે મુસાફરોનાં મોત

ટાયર ફાટતાં પુરપાટ જતી જીપ પલટી, બે મુસાફરોનાં મોત

16 October, 2019 12:30 PM IST | સુરત

ટાયર ફાટતાં પુરપાટ જતી જીપ પલટી, બે મુસાફરોનાં મોત

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સોનગઢ વ્યારા નૅશનલ હાઇવે પર માંડળ ગામના ટોલનાકા નજીક એક ક્રૂઝર જીપનું ટાયર ફાટતાં રોડસાઇડ પર પલટી મારી ગઈ હતી, જેમાં જીપમાં સવાર ૯ પૈકીના ૬ મુસાફરોને ઈજા થતાં તેમને સારવાર માટે વ્યારા જનરલ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બેનાં મોત થયાં હતાં.

મહારાષ્ટ્રના નિઝામપુરથી એક ક્રૂઝર જીપનો ચાલક પોતાની જીપમાં ૯ મુસાફરોને બેસાડી સુરત તરફ જવા નીકળ્યો હતો. રાત્રે સોનગઢ તાલુકાના માંડળ ગામ નજીક આવેલા ટોલનાકા પાસેથી પસાર થતી હતી ત્યારે અચાનક જીપનું ટાયર ફાટતાં અકસ્માત થયો હતો, જેના કારણે જીપ રોડસાઇડ પર પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં જીપમાં સવાર ૯ મુસાફરો પૈકીનાં ૩ મહિલા અને ૩ પુરુષ મુસાફરોને ગંભીર ઈજા થતાં તેમને સારવાર માટે તાત્કાલિક વ્યારા જનરલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમિયાન બે મુસાફરોનાં મોત થયાં હતાં. જ્યારે અન્ય મુસાફરો ૪ મુસાફરો હાલ સારવાર હેઠળ છે. આ અકસ્માતનો બનાવ બનતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી કરી હતી. મુસાફરો મજૂર વર્ગ હોવાનું અને કામ માટે સુરત તરફ જતાં હોવાનું જાણવા મળ્યું છે. મોડી રાત્રે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Whatsapp-channel Whatsapp-channel

16 October, 2019 12:30 PM IST | સુરત

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK